SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયસેનસૂરિ. રાસ. ૧૧-૧૨. (પૃ. ૧૫૯-૧૫ અને ૧૯૬-૧૯૦૦) જિનશાસનમાં મહા પ્રભાવક એવા હિરવિજયસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ કે જેમણે અનેક બિબ પ્રતિષ્ઠા કરી, તીર્થના ઉધાર કરી ખ્યાતિ મેળવી છે, તેમના સંબંધમાં કવિ જણાવે નડેલાઈ નગરીમાં જ્યારે ઉદયસિંહ રણે રાજ્ય કરતા હતા ત્યારે, સ૧૬૦૪ ના ફાગણ સુદ ૧૫ ને રોજ તેમને જન્મ થયે હતે. પિતાનું નામ કમા અને માતાનું નામ કેડિયદે હતું. જયસિંગ નામ રાખ્યું. પિતાએ જયસિંગ ૭ વર્ષને થયે ત્યારે દીક્ષા લીધી. માતા જયસિંગની સાથે સુરત આવી, અને ત્યાં બંનેને વિજયદાનસૂરિએ દીક્ષા સં. ૧૬૧૩ ના જેઠ સુદ ૧૫ ને દિને આપી. જયસિંહનું નામ જયવિમલ પાડયું, અને હીરવિજ્યસૂરિને તે શિષ્ય સુપ્રત કર્યો. હીરસૂરિ અનુક્રમે વિહાર કરતાં ડીસામાં આવ્યા, ત્યાં i તે ધ્યાનસ્થ રહેતા ત્યારે વ્યાખ્યાન કરવાનું જયવિમલ ગુરૂ આજ્ઞાથી કરતા હતા. તે સૂરિને ધ્યાનમાં એક દેવતાએ આવી જણાવ્યું કે જેસંગ શિષ | જયવિમલ) ગંગા પ્રવાહ સમાન ત્રિજગપાવન થશે. ગચ્છપતિએ હર્ષિત થઈ વિહાર કર્યો, અને ત્યાં જયવિમલને સં. ૧૯૨૬ ફાગણ સુદ ૧૦ મે શ્રાવકા પુનીએ કરેલા પત્સવ પૂર્વક પડિત પટ આપવામાં આવ્યું. ત્યાંથી આચાર્ય રાજનગર (અમદાવાદ) માં ગયા. અને ત્યાં મૂલા શેઠે પરિખ વિપાને ઘેર કરેલા ઉત્સવ પૂર્વક સ. ૧૯૨૮ ફાગણ સુદ ૭ ને દિને (પ્રથમ રાસના પૃ. ૧૬૦ પર મહા વદ ૭ એમ મિતિ જણાવી છે તે યોગ્ય નથી લાગતી, કારણ કે વિજયપ્રશતિમાં પણ ફાગણ સુદ ૭ જણાવે છે) જયવિમલને સૂરિપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy