SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ મંત્રી કમચંદ્ર વશપ્રબંધ. અતિ હર્ષ પામતા હતા કે હવે દેશવટે દૂર થ, અને પિતાના સ્વજન સાથે મતભૂમિમાં વસવાના સુખદ દહાડા આવ્યા. આનો યશ પિતાના પર દયા રાખતા રાજાને આપતા હતા. દુર્ભાગી બંધુઓને ભાગ્યેજ ૨૨૧નમાં આવ્યું હશે કે જે વચને આપવામાં આવ્યા હતા તેને ભંગ થવાને છે, અને તેઓનું પ્રારબ્ધ દુઃખદાયક ફેજ પ્રત્યે દેરી જાય છે. સુરસિંહ પિતાની બાજી બિલકુલ કળાય નહિ તે માટે ઘણી સંભાળ રાખતા હતા. પિતાના દિવાનને રજા આપી દીધી, અને એ ઢર પિટાવ્યો કે તે દિવાનની પદવીના ખરેખર હકદાર આવે છે તેમને તે આપવામાં આવશે. વખત જતાં તે ભાઈઓ વિકાનેર આવી પહોંચ્યા, અને રાજાએ ઘણા આદરમાનથી તેમને તાત્કાર કર્યો. બે માસ જ્યાં પૂરા થયા નહિ ત્યાં એક સવારે તેઓની ભારે અજાયબી વચ્ચે તેઓના ઘરને સૂરસિંહના ત્રણ હજાર સપાઈઓએ ઘેરી લીધું. ભાઈઓએ જાણી લીધું કે મુંધ થઈ. તેમણે શરણે જઈ બદનામી લેવા કરતાં લડીને વીર માફક મરણ વશ થવાનું પસંદ કર્યું. તેઓના બહાદુર રજપૂત કરેની નાની ટેળી લગભગ ૫૦૦ માણસની હતી તે સર્વ માલેક પાસે આવી તેમના માટે મરવા કટિબદ્ધ થયા. દરેકે દરેકમાં જાન જતાં સુધી લડી બચાવ કરવાની હિંમત હતી. બછાવતો અને તેના માણસે વીર માફક લડયા, પણ તે ખરૂં યુદ્ધ તે હતું નહિ માત્ર એક જાતનું કસાઈપણું હતું-અને તે પણ એક મહા ઘાતકી વિશ્વાસઘાતીએ પ્રપંચ કરીને કરેલું હતું. જ્યારે છુટકારાની કઈ પણ બારી દેખાઈ નહિ ત્યારે બહાદુર ભાઈઓએ સવાલના જુરસાના વફાદાર રહી પોતાના કુટુંબને અંત પણ સાથે આણી મરવાનો નિશ્ચય કર્યો. જોહારની પ્રાચીન રીતિ પ્રમાણે ચિતા સળગાવી દરેક સ્ત્રી પુરૂષે એક બીજાની રજા લઈ અંતિમ પ્રણામ કરી લીધા. બરાં છોકરાંઓ ડેસાઓ અને અપંગોએ પિતાના આત્માને ઉત્સર્ગ કર્યો. કેઈએ તલવારથી તે કેઈએ ચિતામાં બળી મરીને. એક બાજુ લેહીની નદી વહી, બીજી બાજુ આગના ધુમાડા ગેટેગોટા ઉચે જવા લાગ્યા. કેઈને મરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy