SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ, કરવા કહી દરબારમાં એક હાથી મંત્રીને બ. શિકારી થોડા તેને સેપ્યા. શેખને, ભૂલ નક્ષત્રમાં બેટી આવતાં, શાહે શાંતિ ઉત્સવ કર્યો. અહીં સલીમ સુલતાન આવતાં દશ હજાર રૂપિયાની ભેટ કરવામાં આવી, શાંતિક જલ લઈ તેણે નમન કર્યું. મંત્રી આથી ખુશી થયે. ( અકબર ) બાદશાહને જિનદર્શનનું તત્ત્વ જાણવાની ઈચ્છા થતાં તેના જાણુકરની તપાસ કરતાં જિનચંદ્રસૂરિનું નામ અપાળ્યું, અને કર્મચંદ્ર મંત્રી તેના શિષ્ય છે એમ જાણ થતાં તે સૂરિને બોલાવવાનું કુરમાન કર્યું. ગૂર્જર દેશના ખંભાતમાં તે કુરમાન પહોચ્યું એટલે ગુરૂ વિડાર કરી અમદાવાદ અને પછી શિહી આવ્યા. ત્યાં સુતાણના પ્રભાવથી નૃપે ઉત્સવ કર્યો. ત્યાંથી સુવર્ણ ગિરિ શાહે ચોમાસું રાખ્યાત્યાંથી મગરીજી, મેડતા, નાગપુર, પછી વિ કમપુર (વીકાનેર) ત્યાંથી મરૂમંડલમાં રાણપુર, અનુક્રમે આવ્યા, રાણપુરમાં સંઘ મહત્સવ કર્યો, અને ત્યાંથી સાંકર સૂત વીરદાસ સાથે ચાલ્યો. અને પછી લાહેર જતાં ફાગણ સુદના અરસામાં આવી બારસને દિને લ હાર સૂરિજી પધાર્યા. શાહે ગોખમાંથી જેઈ સૂરિજીને સુખ શાતા પૂછી માન આપ્યું. પરબ શાહે પ્રવે. શત્સવ કરી ઘણું દ્રવ્ય બચ્યું. ગુરૂજીએ શાહને દ્વારકાના દેશના વિનાશ સંબંધી તેમજ તીર્થ રક્ષા સંબંધી રહેતાં શાહ અકબરે શત્રુજ્ય આદિ જૈન, તીર્થો બક્ષવાનું ફરમાન કરી આપ્યું, આજમખાનને તે ફરમાન બરાબર પળાવવા હુકમ કર્યો. કાશ્મીરમાં શાહ જતાં ગુરૂને બોલાવ્યા. ત્યાં શાહે આષાડ સુદિ નવમીથી સાત દિવસની “અમારી અગ્યારે સુબમાં રહે એવું ફરમાન આપ્યું. ગુરૂ સાથે માનસિંહજીને રહેવા હુકમ કર્યો. ગુરૂ સાથે ડુંગર તથા પંચાયણ આવે કાશમીરગિરિ આવ્યા. મંત્રીને રોહિતાસીમાં ઝનાની રક્ષાથે રહેવુ પડ્યું. કાશ્મીર શાહે જીત્યું. પછી શાહ લાહોર જતાં ગુરૂ પણ વિનતિથી લાહોર આવ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy