SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર. સેવાના લાભ લેતા લેતા એક વખતે સાહુજાનપુર અને સારંગપુર ( માલવામાં આવેલા) તરફ વિહાર કર્યાં. ત્યાં રહીને ન્યાયશાસ્ત્રઓનુ પઠન કરવુ' શુરૂ કર્યું અને થોડાજ સમયમાં તર્કસ'ગ્રહ, તર્ક ભાષા, ન્યાયમ‘જરી, મુક્તાવલી, ચિંતામણિ, શિરોમણિ અને મકરાનાથી વિગેરે ગ્રંથા ભણી ગયા. આવી રીતે ન્યાયસાગરે સર્વ શાસ્ત્રોના અભ્યાસ કરી ઉત્તમ વિદ્વત્તા મેળવી સારા સારા વિદ્વાનોના મનહરણ કરવા માંડયાં. પોતાના શિષ્યની આવી શકિત અને વિદ્વત્તા જોઇ ગુરૂ મહારાજને પણ ઘણા આનદ થતા. ન્યાયસાગરની જ્યારે ત્રીસ વર્ષની અવસ્થા થઈ ત્યારે ઉત્તમસાગરજીના સ્વર્ગવાસ થયા અને સંઘે તેમને મહાત્સવ કરી, ગુરૂજીની ગાદી ઉપર બેસાડયા. 3 a હવે એક સમયે સાઠ સાધુઓના પિરવાર સાથે ન્યાયસાગરજી લેર ગામમાં ઋષભદેવની (જેને કેશરીયા તીથ કહેવામાં આવે છે તેની ) યાત્રા કરવા અર્થે આવ્યા. ત્યાં તે વખતે નરેન્દ્રકીતિ નામના હુબડગચ્છ ( દિગંબર સપ્રદાય ) ના આચાય આવેલા હતા અને શાંતિવિજય નામના ખીજા એક શ્વેતાંબર વિદ્વાન પણ ત્યાં હાજર હતા. ન્યાયસાગરજીના સાધુઓને જોઇ દિગબર આચાર્ય શ્વેતાંબરા માટે હલકા શબ્દો ઉચ્ચારતા અને પેાતાની વિદ્વત્તાના ગવ દેખાડતા. તે જોઇ શાંતિવિજય આદિ સાધુઓએ ન્યાયસાગરજીને દિગબરાચાર્ય ના મદ ઉતારવા આગ્રહ કર્યાં તેથી તેની સાથે શાસ્ત્રાર્થ કરી ઢિંગ’ખર ભટ્ટારકને પરાજય કર્યો અને તેની જે પાલખી હતી તે ખુંચવી લેવામાં આવી ! આવીજ રીતે, ન્યાયસાગરજીએ ઉજેણીમાં કુમતિને ( મૂર્તિપૂજા ઉત્થાપકોને ) હરાવી જિનમૂતિની સિદ્ધિ કરી, સિદ્ધપુરમાં પણ તુઢકા સાથે વાદ કરી તેમના પરાજય કર્યાં. એક વખતે તેઓ ફરતા ક્રૂરતા દશરથપુર ( માલવામાં આવેલા મદસાર શહેર માં આવ્યા. ત્યાંના નગરાધીશ કાઇ યવન ( મુસલમાન ) હતા. તે પાતાના કાઈ કાની સિદ્ધિ માટે ન્યાયસાગરજીને પ્રશ્ન પૂછવા આભ્યા. ન્યાયસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy