SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ PLANAN વિજયરત્નસૂરિ. : N MMUN રાસ ૪, પૃષ્ઠ ૩૭-૪૪. આ ચરિત્ર નાયક, તપગચ્છની પટ્ટાવલિમાં થયેલ વિજયપ્રભસૂરિના પટ્ટધર છે. તેમનું સ’ક્ષિપ્ત ચરિત્ર આ રાસમાંથી નીચે પ્રમાણે મળી આવે છેઃ Jain Education International ગુર્જરદેશમાં પાલણપુર શહેર જૈનાની સારી વસ્તીવાળું હતુ અને હાલ પણ ગણાય છે. તેને તેથી કવિ ‘ જૈનકાંતપુર ' એ ખિદ આપે છે. ત્યાં વસતા હીરાશાહને પોતાની પત્નિ હીરાદેથી ન્યાનજી અને વીરજી એ નામના બે પુત્રો થયા અને ત્યાર પછી શુભસ્વમસૂચિત એક ત્રીજો પુત્ર થયા અને તેનું નામ જંડા પાડયું. જેઠા પાંચ વર્ષના થયા એવામાં તેના પિતા હીરાશાહ સ્વર્ગસ્થ થયા. આથી માતાને સ’સારપર વૈરાગ્ય થતાં તી યાત્રા કરવાની ઇચ્છા થઇ. સિદ્ધાચલ, રેવતગિરિ ( ગિરનાર ) ની યાત્રા કરી, અને તે વખતે જૂનાગઢમાં વિજયપ્રભસૂરિ વિરાજતા હતા, તેમને સપરિવાર હીરાદેએ વંદના કરી, અને તદુપરાંત તેણીના પુત્રાએ સૂરિજીની નવ'ગે પૂજા કરી. “ નવઅંગે પૂજા રે કરે ગુરૂરાયનીરે, સુત સુંદર સુકમાલ ”, આ પુત્રામાંના કનિષ્ઠ પુત્ર જેડાને જોતાં સૂરિના દિલમાં તે વસી ગયા. માતાને સ્વપ્નમાં શાસનદેવીએ આવી સૂરિજીને બધા પુત્ર આપવાની અને તેમની સાથે તેણીને પણ દીક્ષા લેવાની આજ્ઞા કરી, ને સાથે જણાવ્યું કે તેમાં જેઠા શાસનદીપક થશે. આથી માતાએ બધા પુત્રો સૂરિજીને આપ્યા અને પોતે પણ દીક્ષા લીધી. સૂરિજીએ ત્રણેને દીક્ષા આપી જ્ઞાનવિજય, વિમલવિજય અને જિતવિજય એ નામ આપ્યાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy