SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ [૬ ] સંસ્કૃત કે શુદ્ધ પ્રાકૃત નથી હોતાં. તે કહે કે શું તેવા પ્રતિભાશાળી ગ્રંથકારેને ગુજરાતી ભાષામાં તેવા શબ્દોના પ્રયોગો વાપરતાં તેનું વિકૃત સ્વરૂપ ધ્યાનમાં નહીં હોય? પરંતુ તેનું ખરું કારણ એ જ છે કે તેમના સમયમાં ગુજરાતી ભાષામાં જે શબ્દો યા રૂપાખ્યાને રૂઢ થયેલ તે જ સ્વરૂપમાં તેમણે પિતાનાં કાવ્ય રચ્યાં છે. વળી પ્રાચીન સમયમાં વિહારના યથેષ્ટ સાધનના અભાવે તેઓ લાંબા સમય સુધી જે વિભાગમાં વિહરતા તે પ્રાંતની ભાષાને ૫ટ તેમનાં કાવ્યોમાં જણાઈ આવશે યા તે સાધુઓનું જીવન વિશેષ ભાગે મુસાફરીમાં જ વ્યતીત થાય છે અને તેમાં પણ શહેર કરતાં ગામડાઓનું સેવન વિશેષ હોય છે એટલે પરિભ્રમણના પ્રદેશની ભાષાને પટ તેમનાં કાવ્યોને લાગે છે તે સ્વાભાવિક છે. વળી ગ્રામ્યજનેને પ્રતિબોધવા માટે જે કાવ્ય યા રાસાઓ કે કંઈ પણ રચના કરવી પડે તે તેમની ભાષાના સ્વરૂપ પ્રમાણે યા ગ્રામ્ય પ્રયોગોમાં ચના કરવી પડે છે તે સમજી શકાય તેમ છે જ. હાલ પણ એ અનુભવાય છે કે કઈ શિષ્ટ લેખક ગામડામાં જઈ કંઈપણ ઉપદેશાત્મક મહત્વપૂર્ણ ભાષણ પિતાની ભાષામાં આપશે તે તે ગ્રામ્યજને બરાબર નહીં સમજી શકે, તેથી ઉલટું જેને ગામડાને સંસર્ગ વધારે હશે અને તે ગ્રામ્ય ભાષામાં કંઈ ઉપદેશ આપશે તે તેની અસર તેમના ઉપર આબાદ થશે. તદનુસાર જૈન સાધુનું વિહાર સ્થળ ગામડાં અને ગ્રામજનોને પ્રતિબંધિવા એટલે તેમનાં કાવ્ય વિશેષ કરી ગ્રામ્ય ભાષાથી જ ભરેલાં હોય છે. અધુના પણ વિચારાય તે જશે કે ગુજરાતના જે જે લૈકિક વિભાગે અસ્તિત્વ ધરાવે છે જેમકે ચુંવાલ, વાગડ, વીઆર, પાટણવાડે, ઉગમણું, દશક્રોઈ, ચારૂતર, કાનમ, સુરતજીલ્લા વિગેરે અનેક વિભાગની ભાષાના સ્વરૂપમાં, ત્યાંની શિલીમાં, ઉચ્ચારમાં અનેક પ્રકારની ભિન્નતા જણાશે. જ્યાં કોઈ વિભાગમાં એક શબ્દ વ્યવહારમાં સારી રીતે પ્રચલિત હશે તે જ શબ્દ અન્ય વિભાગમાં નિંધ ગણાશે. આનાં અનેક ઉદા. હરણ પણ છે. તે આપવાથી વાચક અધીર થઈ જાય તેમ સંદેહ રહે છે. જૈન કવિઓ પિતાના કાવ્યના અંતે રચનાસ્થળ જણાવે છે. તે તે કાવ્યોને અવેલેકી તે જણાવેલ વિભાગની ભાષાનું હાલ પણ અધ્યયન કરી, તે કાવ્યને નિહાળે તે પણ અનેક પ્રયોગો હજુ પણ એવા ને એવા સ્વરૂપમાં કાયમ દેખાશે. અને તેથી આપણને જે જૈન પ્રયોગની સૂગ છે તે દૂર થઈ શકે ખરી. તે એટલું લક્ષ્યમાં રાખવું ઘટે કે કાવ્યાવલેકન-સમયે જે જે પ્રવેગ યા શબ્દ આપણે ન સમજી શકીએ યા તે પ્રયોગોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy