________________
શ્રી આત્માનન્દ પ્રકાશ.
જૈન કેમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી છવીશ વર્ષ થયા પ્રતિમાસે પ્રગટ કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને આ નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણી કોમમાં પ્રસિદ્ધ થતાં માસિકમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેના ગ્રાહકેને વાંચનને બહેનો લાભ આપવા સાથે, વર્ષ પૂર્ણ થતાં પહેલાં નવીન દ્રવ્યાનુયોગ, ઐતિહાસિક વિગેરેના વિષયથી ભરપૂર ઉત્તમ ગ્રંથ સુંદર બાઈડીંગથી અલંકૃત કરી દર વર્ષે ભેટ આપવામાં આવે છે. એકજ પદ્ધતિએ આવી ભેટને લાભ દર વર્ષે આ માસિકજ આપે છે. હાલમાં તેનું છવીસમું વર્ષ ચાલે છે. દરેક માસિક અને પેપરવાળાએ સખ્ત મેંઘવારીના સબબે લવાજમ વધાર્યું, છતાં અમેએ સમા જને ઉદારતાથી વાંચવાને લાભ આપવા તેનું તેજ લવાજમ રાખ્યું છે અને ભેટની બુક પણ સુંદર આપવાને ક્રમ ચાલુ રાખે છે, તેથી ગ્રાહકોની સયા વધતી જાય છે. વળી ગુરૂભક્તિ નિમિત્તે પ્રગટ થતાં આ માસિકની ગ્રાહકેની ન્હોળી સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરાવો છે. વાર્ષિક મૂલ્ય રૂા, ૧-૦-૦ પોસ્ટેજ ચાર આના મળી રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાન ખાતામાં વપરાય છે, જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ લેવા ચુકવું નહિં.
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org