SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદોત્સવ. ૨૭૧ દિવસોની જે તીવ્ર ઈચ્છા હતી, તે ભગવાન એકલિંગજી તથા પરમાત્મા મહાવીરના કૃપાપ્રસાદથી ફલિભૂત થઈ છે અને તેથી તે ખાતર આપણે જેટલે આનંદ દર્શાવીએ તેટલો જ છે. આપણું પ્રિય દેશ મેવાડના થયેલ પુનરૂદ્ધારને બધે યશ મહારાણું મને આપે છે અને તે માટે મારી પ્રશંસા કરે છે “તે તેઓશ્રીનાં હૃદયની નિર્મળતાનું દર્શન કરાવે છે, પરંતુ ખરી રીતે જોતાં મેં જે કાંઈ સ્વાર્પણ કર્યું છે, તે મારી ફરજથી જરા પણ વિશેષ નથી. સ્વદેશની સ્વતંત્રતા માટે ભોગ આપ, દેશના રક્ષણ માટે વાર્પણ કરવું અને સ્વતંત્રતાની પ્રાપ્તિને માટે દુઃખ સહન કરતાં, એ પ્રત્યેક સ્વદેશભક્ત માણસની ફરજ છે. અને મેં આ ફરજથી શું વિશેષ કાર્ય કર્યું છે કે મારી આટલી બધી પ્રશંસા કરવામાં આવે છે? મેવાડના ઉદ્ધારને માટે આપણે બધાએ સાથે મળીને ઉદ્યમ કરેલ છે અને તેથી તેને યશ મને એકલાને જ નહિ; કિન્તુ આપ સર્વને મળવું જોઈએ છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં પણ મહારાણાશ્રી મારા યત્કિંચિત સ્વાપણને માટે મારી જે કદર કરે છે, તેને સેવકભાવે સ્વીકાર કરું છું અને પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે દેશની, સમાજની અને ધર્મની સેવા કરવાને શુભ પ્રસંગ મને પુનઃ પુનઃ મળો. છેવટે ભગવાન એકલિંગજી તથા પરમાત્મા મહાવીર સર્વનું કલ્યાણ કરે, એવી અંતરની ઈછા સહિત બેસી જવાની રજા લઉં છું.” ભામાશાહ એ પ્રમાણે કહીને બેસી ગયા કે તુરત જ ફરીથી દરબાર વિજયષણાથી ગાજી રહ્યો. તે પછી સલું બાજ ગેવિંદસિંહે ઉભા થઈને કહ્યું. “મેવાડના મુકુટમણિ મહારાણું વહાલા સરદાર, અધિકારીઓ ! તથા પ્રજાજને ! આપણા મહારાણાશ્રીએ મેવાડના ઉદ્ધારને માટે મંત્રીશ્વર ભામાશાહ તથા અન્ય સરદારે, સૈનિકે અને ભીલેની જે કદર કરી છે, તે સર્વથા યેગ્યજ છે, કારણ કે તેમણે બધાએ દેશના ઉદ્ધારના કાર્યમાં ઘણેજ ભેગ આપે છે અને તેથી લાયક માણસની કદર થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy