________________
૨૫૮
ભાગ્યવિધાયક ભામાશાહ, અમે હાથમાં લીધું છે, તે સમયે પ્રાતઃકાળનો હતો. મધુર અને સિનગ્ધ પવનની લારીઓ ઓરડામાં વાતાયનની પાસેજ સુશોભિત આસન ઉપર બેઠેલા વિજયને આનંદનો મીઠે અનુભવ કરાવતી હતી. પ્રાત:કાળના આવશ્યકીય કાર્યોથી પરવારી જે વખતે વિજ્ય નિર્મળ ચિત્તે એકાદ ધાર્મિક પુરતકનું અધ્યયન કરી રહ્યો હતો, તે વખતે તેના નોકરે આવી તરલીમ કરીને કહ્યું. “સાહેબ ! આપને એક સ્ત્રી માવાને માટે આવે છે અને તે આપની આજ્ઞાની રાહ જેતી બહાર દરવાજે ઉભી છે.”
વિજયે પુસ્તકમાંથી પિતાની દ્રષ્ટિને બહાર કઢાડીને તેને પૂછયું. “તે સ્ત્રી કોણ છે અને મને શા કારણથી મળવાને માગે છે?”
તે વિષે હું કાંઈ પણ જાણતું નથી અને તેથી આપની આજ્ઞા હોય તે પ્રમાણે અમલ કરૂં” ને કરે નમ્રતાથી જવાબ આપે.
ઠીક, એને અહીં આવવા દે” વિજયે આજ્ઞા આપી. નોકર તુરતજ ચાલ્યા ગયે અને થોડીવારમાં એક સ્ત્રી સાથે તે પુન: વિજય સન્મુખ આવીને ઉભો રહ્યો. તે સ્ત્રીને આવેલી જોઈને વિજયે પોતાના નોકરને બહાર ચાલ્યા જવાની ઈશારત કરી અને તે ગયા પછી તેણે આવનાર સ્ત્રી તરફ જોઈને પૂછયું. “તમે કેણુ છે અને અત્રે શા કામ માટે આવેલાં છો?”
આવનાર સ્ત્રીએ વિજ્યના મુખે સામે તિક્ષણ દ્રષ્ટિપાત કરતાં જવાબ આપ્યો. “હું અત્રે એ કામ માટે આવેલી છું, એની પછી વાત; પરંતુ આપ મને ઓળખતા નથી, એ ઘણું જ અજાયબી ભરેલું છે.”
“હું સત્યજ કહું છું કે હું તમને ઓળખતું નથી અને કદાચ ઓળખતો હોઉં, તે પણ હાલ મને તમારો પરિચય યાદ આવતું નથી.”ાવજયે નિખાલસ દિલથી કહ્યું.
આપ મને ઓળખો તે છે; પરંતુ હાલ મને ભૂલી ગયા હશે, એ આપની વાત સત્ય છે, કારણ કે ઘણે ભાગે દરેક માણસ ઉચ્ચ પદને પ્રાપ્ત કરે છે, ત્યારે તે આગલા પારચયવાળાં માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org