________________
૨૭૭
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા - ભારત ઉપરાંત બાહ્ય દેશમાં પણ શ્રી ભગવાન ઋભષદેવનું વિરાટ વ્યક્તિત્વ વિવિધ રૂપે ચમકયું છે. પ્રથમ તેમણે કૃષિકલાનું પરિજ્ઞાન કરાવ્યું તેથી તે “કૃષિ દેવતા” છે. આધુનિક વિદ્વાન તેને “ એગ્રીકલ્ચર એજ ” માને છે. દેશના રૂપી વર્ષા કરવાથી તે વર્ષોના “દેવતા” કહેવાયા છે. કેવળ જ્ઞાની હોવાથી સૂર્યદેવ રૂપે તે માન્ય છે.
આ રીતે ભગવાન ઋષભદેવનું જીવન વ્યક્તિત્વ અને કૃતિત્વ વિશ્વના કેટિ કેટિ માનને માટે કલ્યાણરૂપ, મંગળરૂપ અને વરદાનરૂ૫ રહ્યું છે. તે શ્રમણ સંસ્કૃતિના આદિ પુરુષ છે. ભારતીય સંસ્કૃતિના જ નહિ, માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા છે. તેમના હિમાલય જેવા વિરાટ જીવન પર નજર દષ્ટિપાત કરતાં કરતાં માનવનું શિર ઊંચું થઈ જાય છે અને અને અંતરભાવ શ્રદ્ધાથી નમી જાય છે.
૧ ઈસ એફ અહિંસા
–ભ. 2ષભ વિશેષાંક લે. ડા. સાંકલિયા ૨ આ. ભિક્ષુસ્મૃતિ ગ્રંથ-દ્વિતીય ખંડ પૃ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org