SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આશાશાહની વીર માતા ૬૯ રાત્રિને વખત હતે. ઉદયસિંહ ભોજન કરીને ઊંઘી ગયે હતે. ધાવમાતા પન્ના તેની પથારી પાસે બેઠી હતી. તે જ વખતે રાજમહેલમાંથી કેઈકના રડવાનો ભયંકર અવાજ આવ્યો. પન્નાના કાન સરવા થઈ ગયા કે આ આર્તનાદ ક્યાંથી આવી રહ્યો છે? એ જ વખતે રાજકુમારની એડી થાળી ઉપાડવા માટે નાઈ આવ્યું. તે થર થર ધ્રુજતે હતું. તેણે દબાયેલા અવાજે પન્નાને કહ્યું કે રાણ વિક્રમાજિતને વનવીરે મારી નાખ્યા છે. - ધાવમાતા પન્નાને એ સમજતાં વાર ન લાગી કે દુષ્ટ વનવીરની શું યેજના છે. તેણે પંદર વર્ષના ઉદયસિંહને જગાવ્યું અને યુક્તિથી રાજમહેલની બહાર મોકલી આપે. તેની જગ્યાએ પન્નાએ પિતાના એટલી જ ઉંમરના પુત્રને સુવાડી દીધો. રક્તપિપાસુ પિશાચ હૃદયને વનવીર તલવાર ચમકાવતે ત્યાં આવ્યો અને બાળક ઉદયસિંહને શોધવા માંડ્યો. ધાવ પનાએ એ લેહીતરસ્યાને પોતાનું બાળક જ દેખાડ્યો. વનવારે તેને ઉદયસિંહ સમજી તલવારને એક જ ઝાટકે હણી નાખ્યો. પન્નાએ પિતાના સ્વામીની રક્ષા માટે પિતાના બાળકનું બલિદાન આપી દીધું તે પણ મેઢામાંથી હરફ સરખે ય ન કાઢ્યો. તે જ સમયે પન્ના પણ ઉદયસિંહ પાસે જઈ પહોંચી. ઉદયસિંહને સાથે લઈને પન્ના ધાવ વીર વાઘજીના પુત્ર સિંહરાવની પાસે ગઈ અને કુમારને ત્યાં રાખવા વિનંતિ કરી. પરંતુ વનવીરના ભયથી તેણે કુમારને પોતાની પાસે રાખવાની અશક્તિ દર્શાવતાં કહ્યું : “વનવીર મારી અને મારા વંશની હત્યા કરશે. મારામાં એટલી તાકાત ક્યાં છે કે હું તેને સામને કરી શકું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy