SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અતીતનાં અજવાળાં બાદશાહ : “બાદશાહ’ શબ્દમાં “શાહ” પછી લાગે છે અને વાણિયાઓમાં પહેલાં શાહ” શબ્દ લાગે છે એ શું ગ્ય છે? શું આ રીતે કરવાથી બાદશાહનું અપમાન નથી થતું ?' ચારણ : “બાદશાહથી પણ વધારે શાહ લેકે માં શક્તિ હોય છે અને તેઓ એ શકિતથી જગતનું ભલું કરી શકે છે. શું આપે નથી સાંભળ્યું કે સંવત ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એ સમયે જગડુશાહે ઠેર ઠેર દાનશાળાઓ ખેલીને પ્રજાને મરતી બચાવી હતી ?” બાદશાહ ચારણની વાત સાંભળી ચૂપ થઈ ગયે. વિધિનું નિર્માણ તે બીજા જ વર્ષે મોટો દુષ્કાળ પડયો. બાદશાહે મનમાં વિચાર્યું : “ચારણે શાહની પ્રશંસા કરી છે. હવે એમની પરીક્ષાને સમય આવી ગયો છે. તે જ વખતે બાદશાહે ચારણને બોલાવીને કહ્યું : “તેં શાહની પ્રશંસા કરી હતી ને ? હવે તારી વાત સાબિત કર, નહિ તે તેને દંડ આપવામાં આવશે.” ચારણ તે જ સમયે ચાંપાનેરના નગરશેઠ પાસે ગયો અને કહ્યું : “શેઠજી ! આપ સૌની પરીક્ષાને હવે વખત આવ્યું છે, આથી તૈયાર થઈ જાઓ. બાદશાહ મને તે મારી નાંખશે પરંતુ સાથે સાથે તમારી પણ “શાહ”ની પદવી આંચકી લેશે.” શેઠે આખી વસ્તુસ્થિતિ સમજીને કહ્યુંઃ “ચારણજી! આપ ગભરાશો નહિ. બાદશાહ પાસેથી એક મહિનાની મુદત માગી લે. એટલા સમયમાં અમે બધી વ્યવસ્થા કરી લઈશું.' ચાંપશી મહેતા કે જે તે વખતના નગરશેઠ હતા તેમણે એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy