SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર અતીતનાં અજવાળાં ફૂલમાળાઓ બાંધવામાં આવી. મંગળતોરણ લટકાવવામાં આવ્યાં. મણિમુક્તાઓનાં દ્વાર બનાવવામાં આવ્યાં. થોડી જ ક્ષણોમાં દશાર્ણપુરને કાયાકલ્પ થઈ ગયો. 1, j* * રાજા દશાર્ણભદ્ર સ્નાન કર્યું. સુગંધિત પદાર્થો લગાવ્યા. માંધાંમૂલાં વસ્ત્રાભૂષણ પહેર્યો. એ આભૂષણોથી રાજાનું શરીર ચમકવા લાગ્યું. તે શણગારેલા હાથી પર આરૂઢ થયે. સ્વરૂપવાન રાણીઓ રથ ઉપર બિરાજમાન થઈ. એની પાછળ રાજપુરોહિત, રાજમંત્રી, એમને પરિવાર, સેનાપતિ, નગરના લબ્ધપ્રતિષ્ઠ શ્રેષ્ઠી સાર્થવાહ તથા તેમની ધર્મપત્નીઓ, પરિવાર અને હજારો સ્ત્રી પુરુષે અને છેલ્લે ચતુરંગી સેના ચાલ્યાં. જુદાં જુદાં વાદ્યો અને સંગીતના મધુર સ્વરે ઝણઝણી રહ્યા હતા. આ અપૂર્વ દર્શનયાત્રા નિહાળતાં ચારે તરફ જયકારનાં ગગનભેદી સૂત્રો ગુંજવા લાગ્યાં. હાથી પર બેઠા બેઠા જ તેણે વિશાળ જનસમુદાય તરફ નજર નાંખી. વિરાટ ઐશ્વર્યનું ભવ્ય પ્રદર્શન જોઈને રાજા દશાર્ણભદ્રનું મસ્તક ગર્વથી ઉન્નત થઈ ગયું. દેવરાજ દેવેન્દ્ર પિતાના “ અવધિજ્ઞાનથી જોયું–ભગવાન મહાવીરનાં દર્શન માટે આજ ધરતી પર વૈભવ ઝૂમી રહ્યો છે. અપૂર્વ ભક્તિ જોઈને દેવરાજના મનમાં આનંદની લહેરે તરંગિત થઈ ગઈ, પરંતુ બીજી જ ક્ષણે એમણે જોયું કે : “આ દર્શન– યાત્રાના મૂળમાં રાજાનું અભિમાન ઊછી રહ્યું છે. અરે! ભક્તિરૂપી દૂધમાં અહંકારરૂપી ઝેર ભળી ગયું છે, જેનાથી ભકિત પણ વિકૃત થઈ ગઈ છે. - રાજાના અહંકારને નાશ કરવા માટે દેવરાજે આકાશમાં માણેક-મોતીથી સુશોભિત એક જળમય વિમાન બનાવ્યું, જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy