SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળા अणहुंल्ली फुल्ल म तोडहु, मन आराम म मोडहुं । मण कुसुम हिं अच्चि निरंजणु हिडई कांह वणेणवणु ॥ - આચાર્ય સિદ્ધસેને ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ ગાથાને સાચે અર્થ સમજમાં ન આવ્યું. તેઓ આાઅવળા જવાબે આપવા માંડયા. ત્યારે વૃદ્ધવાદીએ કહ્યું : “ આપ સાચે અર્થ બતાવે. સિદ્ધસેન : “મને સમજમાં નથી આવતું. આપ જ ' અર્થ દર્શાવવા કૃપા કરો.” વૃદ્ધવાદી : “આ માનવદેહરૂપી જીવન કમળ ફૂલેની વેલી છે. આનાં જીવનાંશરૂપી નાજુક ફલેને તમે રાજસકાર તથા તેથી ઉદ્ભવતા મિયા અભિમાનથી પ્રહાર કરી તોડે નહિ. મનના યમ-નિયમ વગેરે ઉપવનને ભોગવિલાસથી નષ્ટ ન કરે. મનનાં સગુણ-પુખેથી નિરંજન પ્રભુની પૂજા કરે. સાંસારિક લેભમોહમાં શા માટે ભટકી રહ્યા છે ?' આચાર્ય સિદ્ધસેનને પિતાની ભૂલનું ભાન થયું. વિચાર્યું : ગુરુદેવ વિના આ રીતે મને કોઈ ન કહી શકે.” નીરખીને જોયું તે થયું, “ આ મારા ગુરુ વૃદ્ધવાદી જ છે.” તેઓ ગુરુના ચરણમાં પડયા. ગુરુદેવે પ્રાયશ્ચિત્ત આપીને એમનું શુદ્ધિકરણ કર્યું. જિન ધર્મની પ્રભાવના કરતાં છેવટે આચાર્ય સિદ્ધસેન સમાધિપૂર્વક અનશન કરી સ્વર્ગે સિધાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy