SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ અતીતનાં અજવાળાં યાકિની મહત્તરા : ' રાત્રિના સમયે અમે ખાસ શારીરિક વેળા જ હું એમની સાથે કારણ સિવાય બહાર જતાં નથી, પ્રભાત આપને પરિચય કરાવી દઈશ.' રાજ પુરાહિત હરિભદ્રને આખી રાત ઊંધ જ ન આવી. તેઓ એ જ ગાથાનું મનન કરતા રહ્યા. સવાર થતાં જ યાકિની મહત્તરા સાથે આચાર્યના ચરણામાં હાજર થયા અને પોતાની જિજ્ઞાસા રજૂ કરી. આચાર્યે એમને પોતાની પ્રતિજ્ઞા યાદ દેવડાવી અને કહ્યું : ‘ આ ગાથાનેાં અર્થ પૂર્વાપર સંબંધોથી જ જાણી શકાય છે. તે માટે આહુતી દીક્ષા અને વિશિષ્ટ તપના સ્વીકાર કરવા પડશે.' હરિભદ્ર સાચા જિજ્ઞાસુ હતા. તેમણે આનાકાની કર્યા વગર જે પણ શરતા હોય તે સ્વીકારવાનું કબૂલ કર્યું. જિનદ્રસૂરિ સમયજ્ઞ હતા એમણે હરિભદ્રને દીક્ષા આપી. તેએ સાધના અને જ્ઞાનમાં લીન થઈ ગયા. તીવ્ર બુદ્ધિ અને સખત મહેનતના સમન્વયથી ઘેાડા જ સમયમાં તેએ જૈન સિદ્ધાંતના પ્રખર જ્ઞાતા વ્યાખ્યાતા અને અનુસંધાતા બની ગયા. એનના દરેક કાર્યમાં સાધનાનું ગૌરવ ચમકવા માંડયું. એમને મેળવીને જૈન સંઘને વધુ ગૌરવ પ્રાપ્ત થયું. યોગ્ય પુત્ર અને યોગ્ય શિષ્ય મેળવીને પિતા અને ગુરુને વધુ આનંદ થાય છે. આચાય જિનભદ્રે હરિભદ્રની યોગ્યતા જાણીને એમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. આચાર્ય હરિભદ્રને હંસ અને પરમહંસ નામના બે ભાણેજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy