SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ અતીતનાં અજવાળાં છે. “દશાશ્રુતસંઘ', “બૃહત્કલ્પ', “વ્યવહાર તથા “કલ્પસૂત્ર' એમણે રચેલાં છે. “આવશ્યક નિર્યુકિત” વગેરે દશ નિયુક્તિની રચના પણ એમણે જ કરી હતી. આવશ્યક નિર્યુક્તિ” જૈન સાહિત્યને મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં સર્વ પ્રથમ રજૂ કરાયેલ અવસર્પિણી કાળમાં થઈ ગયેલા જૈન મહાપુરુષોનાં જીવનચરિત્ર ગ્રંથસ્થ થયાં છે. એમણે સવા લાખ ગાથાબદ્ધ “વસુદેવચરિત્ર” પ્રાકૃત ભાષામાં લખ્યું હતું. કહેવાય છે કે પ્રાકૃત ભાષામાં એમણે ભદ્રબાહુસંહિતા” નામને જ્યોતિષ ગ્રંથ પણ લખ્યો હતો. જે આજે અપ્રાપ્ય છે. આગમોની પ્રથમ વાચના પાટલિપુત્રમાં થઈ હતી. તે સમયે બાર વર્ષને ભયંકર દુકાળ પડ્યો. શ્રમણ સંધ દરિયાકિનારે ચાલ્યો ગયો. અનેક શ્રુઘર કાળનો કોળિયો બની ગયા. દુકાળ વગેરે કારણોને લીધે એગ્ય રીતે સૂનાં પારાયણ ન થઈ શક્યાં જેથી આગમ જ્ઞાનની કડીઓ છિન્નભિન્ન થઈ ગઈ દુષ્કાળ સમાપ્ત થયો. તે સમયે ખાસ આચાર્યો પાટલિપુત્રમાં એકઠા થયા. અગિયારે અંગેનું સંકલન કરવામાં આવ્યું. બારમા અંગના એક માત્ર જાણકાર ભદ્રબાહુ સ્વામી તે સમયે નેપાળમાં પ્રાણ ધ્યાનની સાધના કરી રહ્યા હતા. સંઘના આગ્રહથી એમણે સ્થૂલિભદ્ર મુનિને બારમા અંગ સૂત્રને પાઠ શીખવવાનો સ્વીકાર કર્યો. દશ પૂર્વ અર્થ સહિત શીખવેલ અગિયારમા પૂર્વનું અધ્યયન ચાલતું હતું ત્યારે એક વાર આર્ય શૂલિભદ્રને મળવા માટે જ્યાં તેઓ ધ્યાન કરી રહ્યા હતા ત્યાં એમની બહેનને ચમત્કાર દેખાડવાનાં કૌતુકથી સ્થૂલિભદ્ર સિંહનું સ્વરૂપ ધારણ કર્યું. આ બનાવથી ભદ્રબાહુએ આગળ શીખવવાનું બંધ કરી દીધું. કારણ કે તે જ્ઞાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy