SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ થાયે ભદ્રબાહુ ૨૦૩ વગેરે તિ–શાસ્ત્રના બધા જ નિષ્ણાતોએ ચેખું જણાવ્યું છે કે આ બાળકનું આયુષ્ય સે વર્ષનું છે. - ભદ્રબાહુ : “આપ ઉતાવળા ન થાઓ. આજથી સાતમા દિવસે આ બાળકનું મૃત્યુ બિલાડીના મોટે થશે. આપ જાતે જ જોઈ શકશે કે મારું કથન સત્ય કરે છે કે વારાહમિહિરનું.' મંત્રીએ જઈને ભદ્રબાહુનું કથન રાજાને નિદિત કર્યું . રાજાએ મહેલમાંથી બધી બિલાડીઓ દૂર કરાવી. સાતમે દિવસે ઠેર ઠેર ચેકીપહેરે બેસાડી દીધું. જેથી કયાંયથી પણ બિલાડી ન આવી ન જાય. રાજકુમારને તેડીને ધાવમાતા મહેલના દ્વારમાં બેસીને દૂધ પીવડાવી રહી હતી. દરવાજાનું કડું બરાબર બેસાડેલું નહિ તેની આકૃતિ પણ બિલાડીના મુખ જેવી જ હતી. અચાનક તે મુખ કડામાંથી રાજકુમાર ઉપર પડયું અને તે જ સમયે તેના પ્રાણ નીકળી ગયા. રાજા ભદ્રબાહુના દિવ્ય જ્ઞાનથી પ્રભાવિત થયો. ભદ્રબાહુનો ઉપદેશ સાંભળીને તેણે જૈનધર્મ અંગીકાર કર્યો. ' વારાહમિહિર અપમાનથી ઝાળઝાળ થઈ ગયો. આથી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો. આયુષ્ય પૂરું થતાં તે વ્યંતર દેવ થયો. પૂર્વનું વેર યાદ રાખી તે જૈન ધર્મના અનુયાયીઓને હેરાન-પરેશાન કરવા માંડ્યો. તે સમયે ભદ્રબાહુએ “ઉવસગ્ગહર સ્તોત્ર”ની રચના કરી જેના પાઠથી તમામ ઉપસર્ગ નાશ પામ્યા. - ભદ્રબાહુ ચૌદ પૂર્વના જાણકાર હતા. તેથી તેઓ શ્રુતકેવલી કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy