SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અજવાળાં આખા ય કુટુંબને ઘાણીમાં ઘાલી પીલી નાંખશે. શું આ કુળ-ક્ષય તને મંજૂર છે? શ્રિયકની તે જાણે જીભ જ સિવાય ગઈ તેના મેઢામાંથી એક શબ્દ પણ નહોતા નીકળતે. એના હૃદયમાં તોફાન મચ્યું હતું. “આ તે કેવી રાજ–ભકિત? જ્યાં માનવ–જિંદગીની કોઈ કિંમત નહિ ? આ તે રાજ-નીતિ કે યમ–રાજનીતિ ? પિતા જ પુત્રના હાથમાં તલવાર આપીને પિતાની હત્યા કરવાનું કહે છે. હું ક્યારેય આવું કાર્ય નહિ કરું. શકટાલ : “પુત્ર ! તું હજી રાજનીતિના ગંભીર દાવ નહિ સમજી શકે. આ વખતે તું વધારે નહિ તે એટલું જ સમજી લે કે તારે પિતૃવંશની પ્રતિષ્ઠા અને કુળની રક્ષા માટે આ કામ કરવાનું છે. , પ્રિયક: “પિતૃહત્યાનું મહાન પા૫ મારાથી નહિ થઈ શકે.” શકટાલે શિયકને છાતી સરસે ચાંપતાં કહ્યુંઃ “પુત્ર! તું પિતૃહત્યાના પાપથી ડરે છે, પરંતુ તેને પાપ નહિ લાગે કારણ કે રાજસભામાં પહોંચતાં પહેલાં જ હું તાલપુટ વિષ મેઢામાં મૂકી રાખીશ. તેનાથી મારું મૃત્યુ જરૂર થશે. તારે તે માત્ર નિમિત્ત જ થવાનું છે. એ જ તારી રાજ–ભક્તિનું પ્રમાણ બનશે અને તારા વંશની પ્રતિષ્ઠાને આધાર થશે. એ તારી કુળ-પરંપરાનું પ્રતીક બનશે. તું મને વચન આપ કે તું મારા કથનનું દઢતાથી પાલન કરશે. - તું જ કહે કે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન શું પિતૃહત્યા સમાન નથી ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy