SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષા ૧૩. રાજાએ ખૂબ જ ગંભીરતાથી કહ્યું: શ્રેષ્ઠીજી! બને ત્યાં સુધી આપ રાજપુત્રને ક્યારે ય હણે નહિ, તે પણ ભાવાવેશમાં એવું કંઈ થઈ ગયું હોય તે હવે ચિન્તા ન કરશે. સાથોસાથ આ વાત. પણ કેઈને ન કહેશે.આપ આનંદથી જાઓ.’ પ્રવીણ ઘેર આવ્યું અને આંખમાંથી અશ્રુધારા વહાવતાં તેણે પત્નીને કહ્યું: “પ્રિયે! મારાથી એક ભયંકર અપરાધ થઈ ગયો છે. મેં ભૂલથી રાજકુમારની હત્યા કરી નાંખી છે.” ( પત્ની બેલી: “પતિદેવ! આપ ચિન્તા ન કરે. હું હોઉ ત્યાં સુધી તમારે વાળ પણ વાંકે નહિ થાય. જે રાજાના સિપાઈઓ આવશે તે હું કહી દઈશ કે કુંવરને મેં માર્યો છે. બધા જ અપરાધ મારે છે.” પ્રવીણ ઘેરથી દુકાન ઉપર આવ્યો. તેણે એ જ વાત મુનીમને કહી. મુનીમે કહ્યું: “શેઠ આપ જરા પણ ચિંતા ન કરશે. મેં આપનું લૂણ ખાધું છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તે આપને કંઈ જ વાંધો નહિ આવે. રાજાના માણસને હું સ્પષ્ટ શબ્દોમાં કહી દઈશ કે શેઠ સાહેબ બિલકુલ નિર્દોષ છે. અપરાધ મારે છે એટલે મને દંડ આપવામાં આવે.” પ્રવીણની ઇચ્છા તે પરીક્ષા લેવાની હતી. રાજા, પત્ની અને મુનીમ ત્રણે ય પાર ઊતર્યા હતાં. તેણે એ જ સમયે રાજકુમારને છૂપી જગ્યામાંથી લાવી અને રાજાને સુપરત કર્યો અને ત્યાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy