SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતનાં અંજાબ વાસક્રિકે બેપરવાઈથી જવાબ વાળ્યો: “બેટા! તારા દાદાજી છે ને? તે બહુ વૃદ્ધ થઈ ગયા છે. બીમારીને લીધે એમને બહુ દુઃખ ભોગવવું પડે છે. આથી એમને દાટવા માટે આ ખાડે ખેદું છું. બાળકે કહ્યું : “પિતાજી ! આ તે બહુ ખરાબ કહેવાય. દાદાને જીવતા-જાગતા દાટી દેવા એ તે બહુ મોટું પાપ છે. . - વાસષ્ટિકની બુદ્ધિ તે ભ્રષ્ટ થઈ રહી હતી. તેણે બાળકની વાત પર ધ્યાન જ ન દીધું. થોડોક વખત વીત્યા પછી થાકીને વિસામો લેવા તે એક બાજુ જઈને બેસી ગયે. બાળકે ઊભા થઈને કોદાળી લીધી અને પેલા ખાડા પાસે જ બીજે ખાડે દવા માંડવો. વાસંક: “આ શું કરે છે તું ?' પુત્રઃ “પિતાજી ! આપ પણ જ્યારે ઘરડા થશે ત્યારે તમને પણ જમીનમાં દાટવા પડશે ને? એટલા માટે અત્યારથી જ આ ખાડો ખેદીને તૈયાર કરું છું, કારણ કે પિતાને અનુસરવા એ પુત્રની ફરજ છે. આપે શરૂ કરેલી પ્રથા હું કયારે ય નહિ તૂટવા દઉં.' વાસક્રિકે ચીડાઈને કહ્યું : 'નાલાયક ! મારો જ દીકરો થઈને મારું જ અહિત કરવા બેઠો છે?” બાળકઃ “નહિ પિતાજી! હું તે તમને મહાપાપમાંથી ઉગારવા ઈચ્છું છું. તમે જ વિચારે, પિતાને જીવતા દાટવા એ કેવું ખરાબ કામ છે?” વાણદિક: “ બેટા હું મારી ઈચ્છાથી નહિ પરંતુ તારી માતાના કહેવાથી આ કાર્ય કરી રહ્યો છું.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy