SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તેણે પૂબ વિચાર્યું પરંતુ તેના પ્રત્યેની પતિની નારાજગીનું કારણ તેણે ન મળ્યું. - દિવસો વીતી ગયા પણ બન્ને વચ્ચેનું અંતર જેમનું તેમ રહ્યું. શેઠ અને શેઠાણીએ અનેક પ્રયત્નો કર્યા પરંતુ કેઈ સુખદ પરિણામ ન આવ્યું. એક દિવસ દુઃખી હૃદયે શેઠે પુત્રવધૂને કહ્યું : દીકરી ! ચાલ હું તને થડા દિવસ તારે પિયર મૂકી જાઉં. થોડો સમય બને દૂર રહેશે તે શક્ય છે કે સ્નેહને સાગર છલકાઈ ઊઠે.” - પુત્રવધૂને લઈને શેઠ ચાલતા થયા. તે જ સ્થળે તેઓએ રાતવાસ કર્યો. પુત્રવધૂ જાગતી હતી. શેઠને પણ ઝોકું નહતું આવ્યું. ત્યાં બાજુના વૃક્ષ પર બેઠેલે કાગડો બોલ્યો : સમજુ હોય તે સાંભળે, કાગ તણું ઉદગાર, બે વૃક્ષની મધ્યમાં, થરુ દટાયા ચાર.” આ સાંભળતાં જ યુવતીને જૂની સ્મૃતિ તાજી થઈ આવી.. એ આખું દશ્ય તેની આંખ સમક્ષ નૃત્ય કરી રહ્યું. મને ન માનો પણ તે રાત્રે કઈ કે છુપાઈને એ દશ્ય જોયું હશે. આથી તુરત જ તે બોલી ઊઠી : “પતિનો સહેજે ન દોષ છે, એવું જ લખ્યું લલાટ. શુગાલ થકી આવું થયું, બાકી રહ્યું શું કામ ?” - “હે કાગ ! શિયાળની વાત સાંભળીને ચાર રને લીધાં, તેમાંથી તો મારા પતિ નારાજ થઈ ગયા અને મને ત્યજી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy