SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અતીતનાં અજવાળ રાજકુમારીના સૌંદર્ય અને બુદ્ધિ-કૌશલની વાત પ્રસરી ચૂકી હતી. અનેક રાજકુમારે તેની સાથે વિવાહ કરવા ઈચ્છતા હતા, તેઓએ રાજકુમારીને શેધવા માટે પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન થયા. નિષ્ફળ રાજકુમારોને રાજાએ કેદ કરી લીધા. રાજકુમાર શૌર્યસિંહે પણ સ્વર્ણલતા વિષે સાંભળ્યું હતું. તેને મેળવવા માટે તેનું મન થનગની ઊઠયું. એણે એ પણ સાંભળ્યું હતું કે અનેક રાજકુમારે પરીક્ષામાં નિષ્ફળ જવાથી કેદી બનાવવામાં આવ્યા છે. શૌર્યસિંહે ગંભીરતાથી વિચાર કરીને નિર્ણય કર્યો કે પોતાની બુદ્ધિને ચત્મકાર બતાવીને રાજકુમારીને મેળવવી અને સાથે સાથે બંદીવાન રાજકુમારોને પણ છોડાવવા. આથી તેણે બંદીવાન બનેલા રાજકુમારોના પિતાઓને પિતાને ત્યાં બેલાવીને કહ્યું : “જે આપ સૌ ડે સહકાર આપે તે હું આપના પુત્રોને માત્ર એક જ મહિનામાં મુકત કરાવી દઉં. આપે માત્ર સેન્સે તેલા સોનું અને પાંચ હજાર મુદ્રાઓ સહકાર આપવાની છે. જે એક માસની મુદતમાં રાજકુમારો મુક્ત ન થાય તે આપનું સોનું તથા મુદ્રાઓ હું પરત કરી દઈશ.” બધા રાજાએ પિતાના પુત્રોને મુકત કરાવવા તે ઇચ્છતા જ હતા. એમને આ યોજના ગમી ગઈ. તે જ સમયે સૌએ રાજકુમારને પાંચ-પાંચ હજાર મુદ્રાઓ અને સો-સે હેલા સુવર્ણ આપી દીધાં. એ સુવર્ણ અને ધન લઈને રાજકુમાર દેવનગર આવ્યું. તેણે રાજકુમારીના મહેલની શોધ કરી પરંતુ કંઈ વળ્યું નહિ. લોકેએ કહ્યું : “રાજકુમારી એવા મહેલમાં છે કે જેને રસ્તે માત્ર મંત્રી અને રાજા સિવાય કઈ જ જાણતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy