SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મહાયજ્ઞ ૧૦૫ પરંતુ આપ જે અઢળક સંપત્તિ દાનમાં આપે છે તે કરતાં ઉપરોક્ત દાન વધુ મહાજ હતું.' યાચક બ્રાહ્મણોએ નોળિયાને કહ્યું: “તમે કોણ છો ? અને શા માટે અહીં આવી અશ્વમેધ યજ્ઞની નિંદા કરો છો ? આ યજ્ઞ વેદ-વિધિ અનુસાર કરવામાં આવ્યો છે. યજ્ઞમાં આવનારા સૌને ગ્ય સત્કાર કરવામાં આવ્યું છે, દાન અપાયું છે અને સૌને તેથી સતિષ છે.' આ સાંભળતાં જ નોળિયો ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું: “કેઈના ય પ્રત્યે ભારે વિરોધ નથી, તો પણ હું જે કંઈ કહું છું તે સંપૂર્ણ સત્ય છે. મહાભારતના યુદ્ધ પહેલાં અહીં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું, જે ખેતરમાં વેરાયેલા દાણા વીણીને પિતાનું ગુજરાન ચલાવાતું હતું. એમણે પ્રતિજ્ઞા કરી હતી કે જે અનાજ એક થાય તેને સરખું વહેંચીને ત્રીજો પર શરૂ થાય તેના થોડાક સમય પહેલાં ખાઈ લેવું. જે દિવસે નિયત સમય પહેલાં અનાજ ન મળતું તે દિવસે તેઓ ઉપવાસ કરીને ચલાવી લેતાં. જ્યારે અનાજ મળે ત્યારે જ નિશ્ચિત સમયે ભજન કરતાં. એક વખત ભયંકર દુકાળ પડ્યો. અનાજ અને પાણીની તંગીને લીધે લેકે તરફડવા લાગ્યા. જ્યારે અનાજ પાકયું જ નહિ ત્યારે પાક લણવાને કોઈ પ્રશ્ન જ નહતા. અને જયારે લણણી ન થાય ત્યારે અનાજના દાણા ખેતરમાં ક્યાંથી વિખેરાય? આથી તે બ્રાહ્મણ પરિવારને દિવસ સુધી ભૂખ્યા રહેવું પડયું. એક દિવસ બ્રાહ્મણ, બ્રાહ્મણી, તેને પુત્ર અને પુત્રવધૂ ચારે જણાં ભૂખ્યાં તરસ્યાં ભર તડકામાં મહેનત કરીને એકાદ શેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy