SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ કલ્પસૂત્ર તેમની જન્મભૂમિ દશપુર (મંદસૌર) હતી. પિતાનું નામ રુદ્રસેમ હતું. તેઓશ્રી જ્યારે કાશીથી ગંભીર અધ્યયન કરીને પાછા ફર્યા ત્યારે પણ માતા પ્રસન્ન ન થઈ. માતાની પ્રબળ પ્રેરણાથી ઉલ્ટેરિત થઈને દષ્ટિવાદનું અધ્યયન કરવા માટે તે વખતે દશપુરના ઈષુવનમાં બિરાજમાન આચાર્ય તેલીપુત્રની પાસે ગયા અને શ્રમણ બન્યા. તસલી પુત્ર પાસે આગમનું અધ્યયન કર્યું. તે પછી દૃષ્ટિવાદના અધ્યયન કરવાના હેતુથી આર્યવા સ્વામી પાસે પહોંચ્યાં. સાડા નવ પૂર્વ સુધી અધ્યયન કર્યું. તેઓએ અનુગદ્વાર સૂત્રની રચના કરી અને આગમોને દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગના રૂપમાં વિભક્ત કર્યા. તેમના સમય સુધી પ્રત્યેક આગમપાઠની દ્રવ્ય વગેરે રૂપમાં ચાર-ચાર વ્યાખ્યાઓ કરવામાં આવતી હતી. તેમણે શ્રતધરની સ્મરણશક્તિની દુર્બળતાને જોઈને જે પાઠોથી જે અનુયોગ સ્પષ્ટ રૂપથી પ્રતિભાસિત થત હતો તે પ્રધાન અનુયોગને રાખીને બાકીના અન્ય ગૌણ અર્થોનું પ્રચલન બંધ કરી દીધું. જેવું કે અગિયાર અંગો-મહાકલ્પ સૂત્ર અને છે. સૂત્રને સમાવેશ ચરણકણાનુગમાં કરવામાં આવ્યા. ત્રષિભાષિતને ધર્મકથાનુયોગમાં, સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરેને ગણિતાનુયોગમાં અને દૃષ્ટિવાદને સમાવેશ દ્રવ્યાનુયોગમાં કરવામાં આવ્યો. ૧૬ એ રીતે જ્યારે અનુયોગને જુદા જુદા કરવામાં આવ્યા ત્યારથી નયાવતાર પણ અનાવશ્યક બની ગયા ૦૭ આ કાર્ય બાર વરસના દુષ્કાળ પછી દશપુરમાં કરવામાં આવ્યું હતું. ઈતિહાસજ્ઞોને અભિમત છે કે પ્રસ્તુત આગમવાચના વીર સંવત ૧૯૨ની લગભગ થઈ હતી. તે આગમવાચનામાં વાચનાચાર્ય આર્યનંદિત, યુગપ્રધાન આચાર્ય આર્ય રક્ષિત અને ગણાચાર્ય વજાસેન વગેરે ઉપસ્થિત હતા. વિદ્વાનોની એવી પણ ધારણું છે કે આગમ સાહિત્યમાં ઉત્તરકાળની મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું જે મિશ્રણ થયેલ છે તેનું શ્રેય પણ આર્ય રક્ષિતને જ છે. વીર સંવત ૨૯૭માં આર્યરક્ષિત સ્વર્ગસ્થ થયાં. તેના ઉત્તરાધિકારી દુર્બલિકાપુષ્પમિત્ર થયાં. આર્ય રથ સ્વામી - આર્ય રથ સ્વામી આર્ય વજાસ્વામીના બીજા પટ્ટધર હતા. તે વસિષ્ઠ ગોત્રીય હતા અને ઘણું જ પ્રભાવશાળી હતા. તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy