SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ કલ્પસૂત્ર માસ સુધી ચાતકની માફક ઇચ્છવા છતાં પણ તેમની ભવ્ય ભાવના પૂર્ણ ન થઈ. ચાતુર્માસ સમાપ્તિ પછી, ભગવાન ભિક્ષાને માટે નીકળ્યા અને પિતાના સંકલ્પ અનુસાર ભિક્ષાવેષણ કરતાં અભિનવ શ્રેષ્ઠીના દ્વારે થોભ્યા. તે નવો ધનવાન થયું હતું. મૂળ નામ તેનું “પૂર્ણ હતું. શેઠે બેપરવાથી દાસીને હુકમ કર્યો અને તેણે એક ચમ કુલત્ય (બાકળા) આપ્યા. ભગવાને તેનાથી ચાર માસની તપસ્યાનું પારણું કર્યું.૩૧ દેવદુંદુભિ વાગી, પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ પરંતુ આ બાજુ જીરું શેઠ વાટ જોતાં ને જોતાં જ રહી ગયા. તેઓ ભાવનાના અત્યંત ઊંચા અને નિર્મળ શિખર ઉપર પહોંચી રહેલા હતા. કહેવાય છે કે જે તેમણે બે ઘડી દેવદુંદુભિ સાંભળી ન હોત તો તેમને કેવળજ્ઞાન થઈ જાત. વર્ષાવાસ પૂર્ણ કરીને ભગવાન ત્યાંથી સુંસુમારપુર પધાર્યા.૩૦૭ શકેન્દ્રના વજાથી ભયભીત થયેલા ચમરેન્દ્ર ભગવાનના ચરણારવિન્દીમાં આવ્યા અને શરણ ગ્રહણ કરી મુક્ત થયા. તેનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં ભગવાને પિતે શ્રીમુખથી કરેલ છે.૩૮ તેનું વર્ણન આગળના દશ આશ્ચર્ય પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. ભગવાન ત્યાંથી ભગપુર, નંદીગ્રામ અને મેઢિયગ્રામ પધાર્યા. ત્યાં ગવાળાએ ઉપસર્ગ કર્યો.૩૦૯ – * ઘેર અભિગ્રહ મેઢિયગ્રામથી ભગવાન કૌશાંબી પધાર્યા અને પિષ વદ ૧ ના દિવસે એક ઘેર અભિગ્રહ ગ્રહણ કર્યો. અવિવાહિત કુલીન રાજકન્યા હોય, દાસી બનીને પીડાઈ રહેલ હોય, તેના હાથમાં હાથકડીઓ અને પગમાં બેડીઓ હોય, શિર મુંડાવેલ હોય, ત્રણ દિવસના ઉપવાસ હોય, બાફેલા અડદના બાકળાં સુપડાના એક ખૂણામાં લઈને ભિક્ષાને સમય વ્યતીત થયા પછી જે પલક માર્યા વગર એકીટશે રાહ જોઈ રહેલ હોય, ઘરના ઉંબરામાં બેઠેલ હોય, એક પગ બહાર અને એક પગ અંદર હોય, આંખમાં આંસુ હોય, એવી રાજકન્યા જે મને ભિક્ષા આપશે તે લઈશ, અન્યથા લઈશ નહિ. ૩૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy