SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ અભિનિષ્ક્રમણ રહીને માતા પિતા સ્વર્ગવાસી થયા પછી પિતાનાથી જ્યેષ્ઠ પુરુષની મંજૂરી મેળવીને તેમની પ્રતિજ્ઞા પૂરી થતાં તથા લોકાંતિક જિતકલ્પી દેવોએ તે જાતની ઈષ્ટ, મનોહર, પ્રિય, મનાશ, મનને આદ્યાદિત કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળરૂપ, પરિમિત, મધુર, શોભાયુક્ત, હૃદયને સચિકર લાગનારી, હૃદયને પ્રસન્ન કરનારી, ગંભીર, પુનરુકિત વગેરેથી રહિત વાણીથી ભગવાનને નિરંતર અભિનંદન અર્પિત કરીને, ભગવાનની સ્તુતિ કરતાં તે દેવ આ રીતે બોલ્યા- “હે નંદ! (સમૃદ્ધિમાન) તમારો જય થાઓ, હે ભદ્ર! (કલ્યાણકારી) તમારો જય થાવ, વિજય થાવ, કલ્યાણ થાવ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય! હે ક્ષત્રિય નરપુંગવ ! તમારે જય થાવ, વિજય થાવ, હે લેકનાથ! બેધ પ્રાપ્ત કરે. સંપૂર્ણ જગતમાં બધા જીવોનું હિત, સુખ અને નિયસ કરનારા, ધર્મતીર્થનું પ્રવર્તન કરે. તે ધર્મતીર્થ સંપૂર્ણ જગતમાં બધા જીવોને હિતકર, સુખકર અને નિશ્રેયસ કરનારું બનશે. આ પ્રમાણે કહીને તે દેવ જય જય શબ્દને નાદ કરવા લાગ્યા. વિવેચન: અઠાવીસ વરસની ઉમરમાં માતા-પિતાને સ્વર્ગવાસ થતાં ભગવાનને પરિજન અને પ્રજાને પ્રેમભર્યો આગ્રહ હતો કે તેઓશ્રી રાજ્ય સિંહાસનને સુશોભિત કરે. પરંતુ ભગવાન મહાવીરે સ્પષ્ટપણે નિષેધ કરતાં સંયમગ્રહણની અતિ ઉત્કૃષ્ટ ભાવના જાહેર કરી. ૧૮૬ મોટાભાઈ નંદિવર્ધને સ્નેહવિહળ થઈને કહ્યું –બંધુવર ! આ વખતે આપનું ગૃહત્યાગનું કથન ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું છે. થોડા વખત સુધી આપ વધારે રહો.૮૭ મોટાભાઈના આગ્રહથી તેઓ બે વર્ષ વધુ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પરંતુ તે સમય દરમ્યાન તેમણે સચેત પાણીને ઉપયોગ કર્યો નહિ, રાત્રિ ભેજન કર્યું નહિ, સર્વસ્નાન કર્યું નહિ. તેઓશ્રી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતાં નિલેપ રહ્યા. ૮૮ આ રીતે ભગવાન મહાવીરે ઓગણત્રીસમું વર્ષ વીતાવ્યું ત્યારે અભિનિષ્ક્રમણને સંકલ્પ કરતાની સાથે જ લોકાંતિક દેવો ત્યાં ઉપસ્થિત થયા. તેમણે ભગવાનના નિશ્ચયનું અનુમોદન કરતાં કહ્યું- હે ભગવંત! આપને જય થાઓ, હવે આપ શીધ્ર ધર્મતીર્થનું પ્રવર્તન કરે કે જેથી બધા જીવોનું કલ્યાણ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy