SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૧૩૮ બેસે છે, સૂએ છે, ઊભી રહે છે આસન ઉપર બેસે છે, શય્યા ઉપર સૂએ છે અને સુખપૂર્વક ગર્ભને ધારણ કરે છે. વિવેચન ભારતીય આયુર્વેદ સાહિત્યમાં કે જે જૈન દૃષ્ટિથી પ્રાણવાય પૂર્વને જ એક અંગ છે,–ગર્ભવતી માતાને આહાર, વિહાર અને ચર્યા કેવી હોવી જોઈએ તેના ઉપર ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે. અહીંયા આપણે વિસ્તારમાં ન જતાં સંક્ષેપમાં જ તેને સારાંશ આપીએ છીએ. ગર્ભવતી માતાને કઈ ઋતુમાં ક પદાર્થ અધિક લાભપ્રદ હોય તેના ઉપર ચર્ચા કરતાં બતાવ્યું છે કે વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંતઋતુમાં ગાયનું દૂધ, શિશિરઋતુમાં આંબળાને રસ, વસંતઋતુમાં ધી અને ગ્રીષ્મઋતુમાં ગોળનું સેવન અમૃતતુલ્ય છે. શ૧૭ વામ્ભટ્ટે કહેલ છે કે જે ગર્ભવતી માતા વાતપ્રધાન આહાર કરે છે તે ગર્ભમાં રહેલું બાળક કુજ, અંધ, મુર્ખ અને વામન થાય છે. જે પિત્તપ્રધાન આહાર કરે તે ગર્ભના બાળકના મસ્તકમાં ટાલ અને શરીર પિત્તવણું બને છે. જે કફપ્રધાન આહાર કરે તે ગર્ભને બાળક કઢવાળો થાય છે. “અત્યંત ઉષ્ણ આહાર કરવાથી ગર્ભના બાળકનું બળ નષ્ટ થાય છે. અત્યંત શીત આહાર કરવાથી ગર્ભના બાળકને વાયુ-પ્રકોપ થાય છે. અત્યંત ખારે આહાર કરવાથી ગર્ભનાં બાળકનાં નેત્રે નષ્ટ થાય છે. અત્યંત ધીપ્રધાન ચીકણો આહાર કરવાથી પાચનક્રિયા વિકૃત થાય છે. સુકૃતમાં કહ્યું છે કે “જે ગર્ભવતી મહિલા દિવસમાં સૂએ તે તેનું સંતાન આળસુ અને ઉઘણુશી થાય. જે નેત્રામાં આંજણ આંજે તે સંતાન આધળું થાય. જે તે રોતી હોય તો સંતાનની દૃષ્ટિ વિકૃત થાય. જે તે અધિક સ્નાન અને વિલેપન કરતી હોય તો સંતાન દુરાચારી થાય છે. શરીર ઉપર તેલનું મર્દન કરે તે સંતાન કુષ્ઠ રોગી થાય, વારંવાર નખ કાપે તો સંતાનના નખ વિક્ત થાય છે. દેડે તે સંતાનની પ્રકૃતિ ચંચલ બને છે. જેથી અટ્ટહાસ્ય કરે તે સંતાનના દાંત, હોઠ, તાળવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy