SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ્ધ એટલે મુક્તક મુક્ત એટલે પૂર્ણ. જે જીવો સિધ્ધ મુક્ત અને પૂર્ણ છે તેમને માટે ભેદ કે પ્રકારો કેમ હોય? છતાં સાધક જિજ્ઞાસુ જીવો સિધ્ધ દશાનું માહાત્મ સમજી શકે તે માટે મુક્ત થવાની યોગ્યતાના લક્ષણથી સિધ્ધ જીવોનું વર્ણન કહેવામાં આવે છે. કારણ કે મુક્ત થતાં જીવોને અંતિમ અવસ્થાની છાપ પડે છે. દા. ત. સિધ્ધની અવગાહના ચરમ શરીર થી કંઈક ન્યુન હોય છે. પંદર પ્રકારમાંથી કોઈ એક પ્રકારે સિદ્ધ થાય છે. આઠ કર્મોનો નષ્ટ થવાથી જીવ આઠ મહાગુણને પામી સિદ્ધ થાય છે. સિધ્ધ ગતિને પામવા માટેની પાત્રતા નીચે મુજબ છે : દસમાર્ગખાદ્વાર : ત્રસકાય પંચેન્દ્રિયપણું સંજ્ઞીપણું મનુષ્ય ભવ્ય અણાહાર ક્ષાયિકભાવ કેવળદર્શન કેવળજ્ઞાન યથાખ્યાતચારિત્ર પંદર પ્રકારે સિધ્ધ છે 1 જિનસિધ્ધ 2 2. અજિનસિધ્ધ છે. તીર્થંકર થઈને સિદ્ધ થાય. દા. ત. શ્રી અરિહંત પરમાત્મા તીર્થંકર ન થાય સામાન્ય કેવળી થઈને મોક્ષે જાય. ઉદાહરણ - પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી વિગેરે. તીર્થની સ્થાપના પછી મોક્ષે જાય. ઉદાહરણ - ગણધરાદિ કેવળીઓ વગેરે. તીર્થની સ્થાપના થયા પહેલા મોક્ષે જાય. ઉદાહરણ - મરૂદેવા માતા. 3. તીર્થ સિધ્ધ 4. અતીર્થ સિધ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibra 599
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy