SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર કહેવત છે કે ગુરુ કરતાં શિષ્ય સવાયા છતાં ગૌતમસ્વામી અત્યંત વિનયશીલ હતા. તેઓ કંઈ જ જાણતા નથી તેવા મનોભાવ વડે તે પ્રભુ પ્રત્યે હંમેશા વિનમ્રભાવે વર્તતા. જો કે ગુરુશિષ્ય બને અત્યંત નિર્મળ અને અપ્રતિબધ્ધભાવવાળા હતા. ઘોર તપશ્ચર્યા અને ઉગ્ર સાધના દ્વારા કર્મજાળોનો નાશ કરી ભગવાન મહાવીર સર્વજ્ઞપણે પ્રગટ થયા હતા. તેમની જ્ઞાનગંગાનો પ્રવાહ સામાન્ય જનસમાજ સુધી પહોંચડવાને સંપૂર્ણ યોગ્ય વ્યક્તિત્વ ધરાવનારા ગૌતમસ્વામી તેમના નિરંતર સહયોગી હતા જો કે જ્ઞાનની અભિવ્યક્તિનું સાધન તો મહાત્માઓનો આચાર છે. ભગવાન મહાવીરના શાસનને વધુ ઉજજવળ બનાવે તેવા આચારયુક્ત ગૌતમસ્વામી હતા. ભગવાનના સર્વ પ્રસંગો અને પ્રકારોમાં ગૌતમ એકમેક થયા હતા, તેવી તેમની પ્રતિભા હતી. ભગવાનની જ્ઞાનધારાને ઝીલવી. તેને આત્મસાત્ કરવી અને વચનલબ્ધિ દ્વારા જીલ્યાણ સુધી પહોંચાડવી તે ગૌતમસ્વામીનો સહજ પરિશ્રમ હતો. તારું શરીર ક્ષીણ થાય છે, તારા કેશ, સફેદ થાય છે. તારા કાનનું બળ ક્ષીણ થાય છે. તારી ચ૭નું તેજ ઘટતું ગય છે. તારી નાસિકાનું બળ ક્ષીણ થાય છે. તારા જીભની વાચા તીણ થાય છે. તારી સ્પર્શેન્દ્રિય ક્ષીણ થાય છે. | માટે છે ગૌતમ ! એક સમયની પણ પ્રમાદ ન કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy