SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર મહાયજ્ઞનો ત્યાગ કરી તેઓ પણ ભ્રમિત થયા છે. વળી જેવા આ માનવો અને દેવો મૂર્ખ છે. તેવો તેમનો સર્વજ્ઞ પણ મૂર્ખ લાગે છે. " ક્ષત્રિયો જેમ પરાજય પસંદ કરતા નથી, તેમ હું સર્વજ્ઞ છતાં, અન્ય · પ્રખર પંડિતો છતાં, આવા સર્વજ્ઞની ઉપસ્થિતિ નિભાવી શકાય જ નહિ. આમ ઇન્દ્રભૂતિના મનમાં મંથન ધોળાવા લાગ્યું. અને કોઈ વાતનું સ્મરણ થતાં તે સોમિલને કહેવા લાગ્યા, કે મારા સાંભળવામાં આવ્યું હતું કે સિધ્ધાર્થ રાજાનો રાજકુમાર ક્ષત્રિયધર્મનો ત્યાગ કરી, નિર્વસ્ત્ર થઈ જંગલમાં એકાકી ઘૂમે છે. અને ભિક્ષા માંગી ઉદરપૂર્તિ કરે છે. સંસ્કૃતભાષા તો જાણતો નથી, તેથી ગ્રામિણભાષા બોલે છે. સોમિલ : હા, પ્રભુ મેં પણ સાભળ્યું છે કે તે જયારે ગૃહસ્થાશ્રમમાં હતો ત્યારે વર્ણાશ્રમ અને યજ્ઞવિરોધી વિચારો ધશવતો હતો. યુવાવયમાં તેણે સંસારનો ત્યાગ કર્યો હતો. પોતાના ત્યાગાદિના બળે અનેક રાજાઓ અને શાસકો તેના પ્રભાવમાં આવ્યા છે. વળી તપશ્વર્યાદિ દ્વારા ઘણી સિધ્ધિઓ અને રિધ્ધિઓ તેણે પ્રાપ્ત કરી છે. અને તેથી દેવતાઓને પણ તેણે વશ કર્યા છે. ઇન્દ્રભૂતિ સોમિલના મુખેથી આ વાતનું શ્રવણ કરી મનોમન અત્યંત વ્યાકુળ થઈ ઊઠયા અને બોલી ઊઠ્યા : સોમિલ તમે શી વાત કરો છો ? આવું દુ:સાહસ ? વેદના વર્ણાશ્રમનો વિરોધ અને પવિત્ર યજ્ઞાદિનો નિષેધ ? અને તેમાં પણ રાજ-રાજર્ષિઓનું પ્રદાન ! આજ સુધી મારા જાણવામાં આ વાત આવી જ ન હતી. નહિ તો વેદાદિ વિરોધી આવો પ્રચાર પ્રસિધ્ધિ જ કેમ પામી શકે ? ઠીક છે કે, કદાચ તપાદિ દ્વારા રિધ્ધિ - સિધ્ધિઓના ચમત્કારથી તેણે ભોળાજનોને આકર્ષિત કર્યા હશે. પણ હવે તેને ખ્યાલ આવશે કે ઇન્દ્રભૂતિ પાસે તેની ઇન્દ્રજાળ કે માયાજાળ ટકી શકવાની નથી. જ સોમિલ : શ્રમણ વર્તમાનની બાબતમાં સાભળ્યું છે કે, તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેમની દેશના-ઉપદેશ સાંભળવા સૌ દેવતાઓ Jain Education International For Private & Personal Use Only ૩૭ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy