SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ | આશીર્વચન | શ્રી ગુરુ ગૌતમ સમરીએ. ભગવાન શ્રી આદિનાથથી લઈ, શ્રી મહાવીરસ્વામી સુધીના ચોવીસ જિનેશ્વર ભગવંતોના ચૌદસો બાવન ગણધર ભગવંતો પૈકી શ્રી ગૌતમ સ્વામીજી અંગે એવી એક વિશિષ્ટતા છે કે જેથી તેઓશ્રીનું લોકહૈયામાં અનોખું સ્થાન છે. ગૌતમ એ ત્રણ અક્ષરના પ્રભાવપૂર્ણ પરિચયમાં પૂજયશ્રીની વિશિષ્ટતાનો ખ્યાલ આવી જાય તેમ છે. નામ સાથે તેઓશ્રીની અનંત લબ્ધિ અને અતિશયવંત બાહ્ય અભ્યતર જીવન પણ તેઓશ્રી પ્રત્યે વધુને વધુ ભક્તિ, શ્રદ્ધા અને પ્રીતિને વધારનાર છે. તેવા શ્રી ગુરુ ગૌતમસ્વામીના જીવનનો ખ્યાલ આપવા જે રીતે આ પ્રયાસ કરવામાં આવ્યો છે, તે પણ એક તેઓશ્રીની ભક્તિસ્વરૂપ ગણી શકાય તેમ છે. - શ્રી ગુરુ ગૌતમને ઓળખવા, સમજવા અને સમજાવવા માટે પ્રસ્તુત પુસ્તકમાં શ્રી સુનંદાબહેને કરેલા પ્રયાસ આદરને પાત્ર બને તેવો છે. આપણે પણ શ્રી ગુગૌતમને ભિન્નભિન્ન દૃષ્ટિકોણથી ઓળખવા, સમજવા પ્રયત્ન કરશું તો આપણી નવી નવી ક્ષિતિજો ખૂલતી જશે. ચંદ્રોદયસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy