SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર પરમપદને પામશે માતા પિતાના વિયોગથી નંદિવર્ધન અત્યંત દુઃખ પામ્યા હતા. આખું અંત:પુર શોકમગ્ન હતું. ત્યારે મહાવીર સ્વસ્થતાથી સૌને આશ્વાસન આપ્યું “હે સ્વજનો અને બંધુ ! તમે જાણો કે કોઈ પણ જીવનું મરણ જન્મની સાથે જ રહેલું હોય છે. દેહધારી સૌનું જીવન નાશવંત છે. તેને કાયમ રાખી શકાતું નથી, તેમ માની નાશવંત વસ્તુ માટે શોક કરવો ઉચિત નથી. પરંતુ માતાપિતાએ જેમ ધર્મનું શરણ ગ્રહણ કર્યું હતું તેમ તમે પણ ધર્મમાં પ્રવૃત્ત થાઓ." મહાવીરના વાત્સલ્યયુક્ત બોધવચન પામી નંદિવર્ધન સ્વસ્થ થયા, છતાં શોકા એવા વડીલબંધુએ વર્ધમાનને રાજયની ધુરા સંભાળવા વિનંતિ કરી એક બાજુ મોટાભાઈની નિસ્પૃહ ઉદારતા હતી, અને બીજી બાજુ નાના ભાઈની વિરક્ત દશા હતીરાજય સિહાસન કોણ શોભાવે ! આખરે મંત્રીઓએ વડીલબંધુને તેમનો ધર્મ અને પરંપરાની પ્રણાલી સમજાવી, અને નંદિવર્ધનનો રાજયાભિષેક કર્યો. માતાપિતાની ચિરવિદાય પછી વર્ધમાન વિશેષ ઉદાસીન રહેવા લાગ્યા. પત્ની યશોદા ભગવાનના સાનિધ્યમાં રહેવાથી તેમની દશાથી પરિચિત હતા. અત્યંત ઉદાસીન અને વિરક્ત પતિને ગૂઢ વિચારમાં ગરકાવ જોઈ ગુણિયલ પત્ની પણ તેમને સહયોગ આપતી અને અનુરૂપ થઈને કહેતી "પ્રભુ ! હું જાણું છું કે આપને સંસાર પ્રત્યે કોઈ સદ્ભાવ નથી આપના માર્ગમાં હું વિદ્ધ નાંખવા માંગતી નથી, પણ આપ જયાં સુધી ગૃહવાસમાં છો ત્યાં સુધી મને પણ ઉચિત ધર્મની પ્રાપ્તિ કરાવી આપની ફરજ પૂર્ણ કરો. પ્રભુ ! આપની જેમ સંસારત્યાગ કરવાનું મારું બળ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy