SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર સર્પયુગલ પ્રભુમુખે ધર્મ શ્રવણ કરી શકતાએ દેવત્વ પામું, ચંડકૌશિક તાપસ મટી સર્પપણું પામો, અને સર્પ મટી દેવલોક પામ્યો. છતાં માનવદેહમાં મળેલી વિચારશક્તિની વિશેષતા એ છે કે આત્મવિચાર પ્રગટવાની ઘણી શક્યતાઓ છે, અને માર્ગપ્રમિનાં વિશેષ સાધનો ઉપલબ્ધ હોય છે. પરંતુ એ સર્વનો આધાર આત્માના શુધ્ધ પરિણામ પર છે. ભવ - ૩ ) મંગલ - સુધર્મા - મિત્ર યુગલ દેવલોકમાં મસ્યા અંતિમ સમયની આરાધનાના બળે દેવલોકમાં જયોતિર્માલી દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકને યોગ્ય સુખભોગમાં કાળ નિર્ગમન થાય છે. પરંતુ પૂર્વના ધર્મસંસ્કારના બળે તે દેવલોકમાં જિનભક્તિ ચૂકતો નથી. એકવાર અવધિજ્ઞાન વડે તેણે જાણ્યું કે સુધર્મા મિત્ર પણ આ જ દેવલોકમાં ઉત્પન્ન થયો છે. આથી અત્યંત પ્રસન્ન થઈ પોતાના વિમાનથી ઊતરી તે મિત્ર પાસે પહોંચી ગયો. બંને પોતાના વિશેષ જ્ઞાન વડે અરસપરસનો પરિચય મેળવી અત્યંત પ્રસન્ન થયા. બંને મિત્રો અવારનવાર મળતા અને ધર્મ ભાવનાથી પ્રેરાઈને ભક્તિની આરાધના પણ કરતા. એક બીજાના સહયોગથી, દેવના સુખભોગ હોવા છતાં પ્રભુના સમવસરણ જેવા સ્થાનમાં પહોંચી દેશના શ્રવણ કરતા. ધરતી પરના કલ્યાણ મિત્રોનેં અહીં પણ સુંદર યોગ જામી ગયો. ઘણા સમયથી જ્યોતિર્માલી દેવ મિત્રને મળી શક્યો ન હતો. સુધર્મા વિષયમાં વ્યાકૂળ બની પોતાની દેવીનો ત્યાગ કરી અપરગૃહિત • અન્ય દેવીના રૂપમાં મોહી પડયો. દેવ જીવનની મર્યાદા ઉલ્લંઘી ગયો. આથી તેની દેવીએ જયોતિલી દેવને આ હકીક્ત જણાવી, તરત જ જયોતિર્માલી ર૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy