SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર તથા ગુણસંપન્ન હતી. તે સર્વ પ્રકારે મંગલને અનુરૂપ હતી. બંનેનાં સમાન લક્ષણો અને ભાવનાને કારણે તેઓ અભિન્ન જણાતાં હતાં. અર્થાત્ કયા જુદી પણ જીવનની વિચારધારા સમાન હતી, તેનું રહસ્ય તેમનું ધર્મપરાયણ જીવન હતું. અજ્ઞાનને અને અધર્મને અનુસરવાથી સંસારમાં સ્વજનોમાં સંઘર્ષ પેદા થાય છે. પતિ પત્ની કે પુત્ર જેવા પ્રિયજનોમાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. આથી જીવો દુ:ખ પામે છે. સામાન્ય રીતે જીવોને સંઘર્ષ અને દુઃખદાયી પ્રસંગો ધર્મમાર્ગમાં બાધક બને છે. સાધકને કથંચિત દુખદાયી પ્રસંગો કર્મ નિર્જરાનું કારણ બની મંગલ અને સુમંગલા આદર્શ ગૃહસ્થી હતાં. અન્યોન્ય પ્રીતિવાળા હતાં. છતાં શ્રવાકધર્મને અનુસરનારા હતાં. તેમના પ્રસન્ન અને સુખી જીવનમાં પુત્રરત્ન મંગલાનંદના પ્રવેશથી આનંદની વૃદ્ધિ થઈ. પોતે જેવાં ધર્મપરાયણ હતાં તે પ્રમાણે પુત્રને પણ સુસંસ્કારનું સિંચન કરતાં હતાં. પુણ્યયોગે મંગલાનંદ પણ ધર્મભાવનાવાળો અને આજ્ઞાંકિત પુત્ર હતો. અત્યંત ધનવાન છતાં ધર્મરંગથી ભરપૂર મંગલની દિનચર્યા ઉત્તમ શ્રાવકની હતી. વ્યાપાર અને વ્યવહારનો ઘણો વ્યવસાય છતાં જીવનમાં ધર્મઅનુષ્ઠાનો અગ્રિમ સ્થાને હતાં. તેમાં તેને પોતાના વ્યાપાર કે વ્યવહાર બાધક ન હતા. કારણ કે ધર્મ જ જીવનનું અંગ છે તેવી તેને અપૂર્વ શ્રધ્ધા હતી પુણ્યના સંયોગ છૂટી જશે કે છોડવા પડશે; પણ ધર્મના સંસ્કાર જીવને મિત્રની જેમ અહર્નિશ સાથે રહેશે. એવો સચ્ચનો બોધ તેણે પરિણમ્યો હતો. મંગલની દિનચર્યા : પ્રાત:કાલે પ્રભુસ્મરણ - પ્રતિક્રમણ. દહેરાસરમાં વિધિ પૂર્વક પ્રભુપૂજન ઘર વ્યવહાર અને વ્યાપાર પ્રયોજન મધ્યાહનકાળે ભોજન વિશ્રામ ૧૩ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy