SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ બિ તણા ભાર જગતના જીવો માટે તેમનું સાનિધજ કલ્યાણ માટે પૂરતું હતું. તેમની દ્રષ્ટિનું પ્રદાન થાય તેટલો પુરૂષાર્થ જીવે કરવો જરૂરી થશે, ઈદ્રભૂતિ ગૌતમ ભલે અહંભાવથી પ્રેરાઈની આવ્યા હતા. તે તો માત્ર નિમિત્ત હતું પરંતુ ભાવિના રહસ્યમાં કંઈ જુદુ નિર્માણ થયું હતું. અંતે બંનેનું મિલન થયું. ગૌતમને યોગ્ય ગુરૂ મળી ગયા. મહાવીરને યોગ્ય શિષ્ય મળી ગયા. આપણે પણ સદ્ભાગી છીએ. આપણને મહાવીર જેવા ભગવાન મળ્યા તથા ગૌતમ જેવા ગુરુ મળ્યા, અને તેમનો પ્રરૂપેલો ધર્મ મળ્યો. ગૌતમસ્વામી ભગવાનના પટશિષ્યપદે સ્થાપતિ થયા, પછી તેમને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેની સાથે ઘણી લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ હતી. તેમની નિર્દોષ વાણી અને વાત્સલ્યપૂર્ણ સદ્ભાવ એવા હતા, કે ભવ્ય જીવો તેના વડે બોધ પામીને મોક્ષમાર્ગ સુધી પહોંચી જતાં. વાસ્તવમાં મોક્ષમાર્ગમાં લબ્ધિની જરૂર જ નથી. લબ્ધિના ઉપયોગને તો પતન દશા કહી છે. આ માર્ગમાં તો શુધ્ધ જ્ઞાન શુધ્ધ જીવન અને શુધ્ધ ઉપયોગની જરૂર છે. અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સાધનોની મુખ્યતા છે. ભગવાન મહાવીરના નિર્વાણના નિમિત્તથી થયેલા વિરહાગ્નિથી ગૌતમ મૂંઝાયા પરંતુ શુભ વિચારને અંતે પોતે સ્વયં શુક્લ ધ્યાન પામી કેવળ જ્ઞાન પામ્યા. ભગવાન મહાવીર પછી ધરતી પરના માનવીને ઉપદેશથી ખોટ ન પડે. તે માટે કેવળી ગૌતમ ભગવાન પણ ગામ નગરોમાં વિચરતા રહ્યા. અને વીર શાસનની પ્રભાવના પોતાના આયુષ્ય કામ સુધી અવિરતપણે કરતા રહ્યાં. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ગૌતમ ભગવાન બાર વર્ષ સુધીનો કાળ પસાર કરી, બાણું વર્ષની ઉમરે અનશન કરી, કાર્યોથી સદાને માટે મુક્ત થઈ નિર્વાણ પામ્યા, સિધ્ધ થયા. તેમના જીવનની કથા સૈકાઓ સુધી ચિરસ્મરણીય રહેશે. તેમનું સ્મરણ આપણા જીવનને મંગળમય કરનારૂં નીવડો. ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy