SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર આપતો કેવા કરૂણાશીલ હતા ! તમારી નજરના અમીનું ઝરણું મારે માટે એકાએક કેમ સૂકાઈ ગયું ? અવશ્ય મારો કોઈ દોષ હશે નહિં તો આપ કરૂણાના સાગર મારે માટે કેમ કઠોર થઇ જાવ? અહો પ્રભુ આ શું કર્યું ? હવે હું શું કરીશ ? આપની આજ્ઞા શિરોમાન્ય કરી હું તો અનન્ય આનંદથી દેવશર્માને બોધ આપવા ગયો. આપની કૃપાથી કાર્ય સિદ્ધ કરી અત્યંત પ્રસન્નતાપૂર્વક પાછો વળતો હતો, ત્યાં તો મારા શ્રવણે વજ્રઘાત સમા શબ્દો પડયા. “વીર નિર્વાણ પામ્યા” “શું મહાવીર નિર્વાણ પામ્યા ?” પ્રભુ આપ સર્વજ્ઞને આ શું સૂઝ્યું ! જરૂર મારો કોઈ દોષ હશે નહિં તો આપ મને સંસારમાં મૂકી સ્વયં મુક્ત કેમ થઈ જાવ ? હે દીનાનાથ ! આવી અનાથ દશાનો આપને ખ્યાલ ન આવ્યો ! બાળવૃત્તિ જેવા ગૌતમનું રૂદન માર્ગમાં જતાં માનવોને પણ પીંગળાવી રહ્યું. જેમ જેમ પાવાપુરી નજીક આવતી ગઈ તેમ તેમ ગૌતમને આ નગરી સ્મશાન જેવી લાગી. જાણે પશુ-પંખી, માનવ, હવા, ફળ ફુલ સર્વ ઉદાસ બની ગયા હોય અને કહેતા હોય, હે નાથ ? અમારૂં શું થશે ? અમે આપની પાવન નિશ્રામાં કેવા સહોદર જેવા નિર્ભય થઈને રહેતા હતા ? આજે પૃથ્વી આપના પાવન ચરણ સ્પર્શ વગર નિરાશા અનુભવે છે. ખરેખર ગૌતમના જીવનમાં એક ભયંકર અંધકાર વ્યાપી ગયો હતો. પ્રભુની હાજરીમાં તેમન જ્ઞાનને તેમણે શમાવી રાખ્યું હતું. પ્રભુના વિરહમાં એ જ્ઞાન ઉપર એક ભયંકર પડદો પડી ગયો. તેમની વિરહ વેદનાને આંસુઓની કલમથી લખીએ તો પણ ક્થન થાય તેવું નથી. માર્ગમાં નગરી સુધીના પંથે જતા એકાકી ગૌતમને આશ્વાસન પણ કોણ આપે ? પુન: પુન: વીર વીર રટતા, પ્રભુ આ શું કર્યું ? એમ Jain Education International For Private & Personal Use Only ૧૭૭ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy