SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અને ગૌતમસ્વામી પ્રભુભક્તિમાં એવા એક્તાર હતા કે ભગવાન પાસેથી ખુલાસો મળ્યા પછી નિશ્ચિત થઈ જતાં કે : ચમક પાષાણ જેમ લોહને ખેંચશે, તેમ મુક્તિને તુજ ભક્તિ રાગો. વાસ્તવમાં નિસ્પૃહા ભક્તિથી ચિત્તની શુધ્ધિ એ પરંપરાએ મોક્ષનું કારણ બને છે, છતાં કરૂણાનિધિ ભગવાનની ફરજ હતી, કે જે જીવે ભક્તિના ભાવમાં મુક્તિને જતી કરી છે, તેનું પરિભ્રમણ ટાળવું જોઈએ. જયાં સુધી તેની દૃષ્ટિ મારા તરફથી મુક્ત થઈ સ્વ-સ્વરૂપ પ્રત્યે નહિં જાય, કે તેનું લક્ષ નહિં કરે, ત્યાં તે જીવનના અમૃતને પ્રાપ્ત કરી નહિ શકે. આથી વાત્સલ્ય મૂર્તિ એવા પ્રભુએ જાણે કઠોર થઈ એક નિશાન તાકી દીધું. અમાસની રાત ભલે અંધારી હોય પણ સવાર ઉગે ત્યારે તો પ્રકાશરૂપ હોય છે. એવી અમાસની એક સવારે ભગવાને ગૌતમને આજ્ઞા કરી કે હે ગૌતમ ! અહિંથી થોડે દૂર એક ગામ છે; ત્યાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહે છે. તે ભવ્ય જીવ, સરળ સ્વભાવી તત્ત્વ જીજ્ઞાસુ અને ધર્મપ્રિય છે. અલ્પબોધથી પણ બૂઝે તેવો છે માટે તમે શીધ્રપણે ત્યાં જાવ અને તેને પ્રતિબોધ પમાડો તેમાં તમારું પણ શ્રેય છે, એ નિમિત્ત તમારા પોતાના પણ જીવન સાફલ્યનું નિમિત્ત બનશે. આજ્ઞાંકિત એવા ભોળા જીવ, ગૌતમને પ્રભુના માર્મિક વચનોમાં કંઈ વિકલ્પ ઉઠયો નહિં. તેમને માટે તો પ્રભુ આજ્ઞા એટલે પોતાના પ્રાણ સમું કાર્ય હતું. તેમાંય અન્યને ધર્મલાભ થાય તે ધર્મવત્સલ ગૌતમને માટે તો અત્યંત આનંદદાયક અવસરની પ્રાપ્તિ હતી. વળી પ્રભુએ આવું મહાન કાર્ય પોતાને સોંપ્યું. તેમાં તોઓ પોતાની ધન્યતા અનુભવતા વયોવૃદ્ધ એવા ગૌતમ વરાથી વિહાર કરી દેવશર્મા પાસે ગયા. અહો ! સતપુરૂષની ઉપસ્થિતિ અને સત્સંગની જીજ્ઞાસા હોય પછી કાર્ય સિદ્ધ થાય તે નિ:સંશય છે. ગૌતમ સ્વામીની પવિત્ર અને અપૂર્વવાણીથી દેવશર્માનું ધર્મમય હૃદય છલકાઈ ગયું. તેમાં બોબીજ પડ્યું અને અલ્પ સમયમાં તે બ્રાહ્મણ ધર્મ પામ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy