SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર કેમ કહેતા હતા ? અરે ચેતન ! ગૌતમ તો સાધુતાનું એક આદર્શ પ્રતીક છે. જો ગૌતમ જેવાને આ શીખ હોય તો આપણે પામર અને પ્રમાદી પ્રાણીને શી શીખ હોય ? ગૌતમને ઉદ્દેશીને સર્વજ્ઞ પરમાત્માએ કરણાવશ સર્વ ભવ્ય જીવોને આ જ મહામંત્ર આપ્યો છે. પૂર્ણતા પામતાં સુધી જીવ માત્ર અલ્પજ્ઞ અને પ્રમાદીની અવસ્થામાં હોય છે એટલું જ નહિ પણ ઉપશમ શ્રેણી પર આરૂઢ એવા સંયતિ મુનિપ પ્રમાદને વશ સંજવલન કષાયને વશ થઈ પડે છે તો પામર જીવોનું શું ગજું? કેવળ ક્ષપકશ્રેણી પર આરૂઢ જીવ અપ્રમાદપણે ચઢે છે, અને કેવળજ્ઞાન પામી કમે મોક્ષની પ્રાપ્તિ કરે છે. ગૌતમસ્વામી એવી સાધનાના અધિકારી હતા પણ પ્રભુ જાણતા હતા કે તેમના પ્રશસ્ત રાગમાં ગૌતમ પણ અટક્યા છે, તેથી તેમને વાત્સલ્ય ભાવે હંમેશાં કહેતાં કે સમય ગોયમ મા પ્રમાયે પરંતુ આપણે તો એમ વિચારવાનું છે કે આ વાક્ય-શ્રવણથી ગૌતમસ્વામી વિશેષ સાવધ થતા અને અત્યંત પ્રેમથી આ વચનો ગ્રહણ કરતા, કારણકે તે જ્ઞાની હતા. અજ્ઞાની આવા વાક્યથી છળી જાય ને માને કે હું શું પ્રમાદ કરું છું? રાત-દિવસ તો સાધના કરું છું, પણ ગૌતમ આજ્ઞાતિ અને અનન્ય ભક્ત હતા. ભક્ત જ ભગવાનની વાણી સમજી શકે. અને ધારણ કરી શકે. સામાન્ય જીવન આવું અમૃત વચન ઝીલવાની તાકાત પણ શી હોય ! આત્મતત્ત્વને પ્રગટ થવામાં આ અપ્રમાદપણે થતી સાધના જ મુખ્ય છે. અને એ જ સાધુસંતોનું જીવન છે. તેમની અપ્રમાદયુક્ત સાધના જ અજ્ઞાનને દૂર કરી શકે છે. સાધુજીવન એટલે જગતના સમગ્ર જીવોનું રક્ષાયુક્ત અહિંસાપાલન જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવના તેઓ ગમે તેટલા મરણાંત કષ્ટો સહન કરશે પણ અન્ય જીવોની રક્ષા કરશે. ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy