SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ૧, દ્રવ્યમન. ૨, ભાવમન. દ્રવ્યમન : જન્મ સમયે જીવ જેમ ઈન્દ્રિયોના પુદ્ગલોને ગ્રહણ કરીને ઈન્દ્રિયોનું સર્જન કરે છે, તેમ મનના પુદ્ગલોને ગ્રહણ કરી મનનું સર્જન કરે છે. અંતિમ સમયે જીવ જ્યારે દેહનો ત્યાગ કરે છે ત્યારે આ ઇન્દ્રિયો સાથે મનનો પણ ત્યાગ થઇ જાય છે. ભાવમન આત્માની સાથે સહચારી છે. દ્રવ્યમન આત્મા નથી અનાત્મા છે. અરૂપી નથી રૂપી છે. જીવોમાં તેનો સદ્ભાવ છે. અજીવમાં મન હોતું નથી ભાવમન : દ્રવ્યમાન દ્વારા ગ્રહણ કરેલા વિષયના સંસ્કારોની છાપ ભાવમન પર પડે છે. રાગાદિ ભાવો, કષાય - વિષયના સંસ્કાર, હિંસક આદિ વિપરિણામો કે શુભસંસ્કારોનો, આ મનમાં સંગ્રહ થાય છે તેથી મનની પણ અનંત શક્તિઓ છે, અને તેથી મન મોલ અને બંધનું નિમિત્ત બને છે. વિચાર કરવાની શક્તિ તે લબ્ધિરૂપ ભાવમન છે. અને વિચાર એ ઉપયોગરૂપ ભાવમન છે. વિચાર કરવામાં સહાયક મનરૂપે પરિણમેલા મનો વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય મન છે. દ્રવ્યમન પૌલિક છે અને ભાવમન ઉપચારથી પૌગલિક છે ભાષા, મન, અને કષાયની નિવૃત્તિ - (રચના) વિષે. “હે ગૌતમ ! ભાષા નિવૃત્તિ - (રચના) ચાર પ્રકારનો છે તેમ મનો નિવૃત્તિ ચાર પ્રકારની છે." ૧. સત્ય મનોયોગ, ૨. અસત્ય મનોયોગ. ૩. સત્યામૃષા મનોયોગ અને ૪. અસત્યામૃષા મનોયોગ જેની વિગત અગાઉ આપેલી છે. "હે પ્રભુ! કષાય નિવૃત્તિ કેટલા પ્રકારની છે?” ગૌતમ ! કોધ, માન, માયા અને લોભ ચાર પ્રકાર કષાયની ૧૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy