SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ના છે. લબિ તણા ભંડાર પશ્રોત્રેન્દ્રિય દ્વારા પ્રત્યેક પદાર્થમાં રહેલા વિવિધ શબ્દને ગ્રહણ કરી ભોગવે છે. પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોથી મન ઘેરાયેલું રહે છે. ઈન્દ્રિયો મનને આધીન હોય છે, અને અનાદિકકાળથી કર્મવશ આત્મા મનને આધીન હોય છે; આથી જીવે અનંતકાળમાં અનંતભવોમાં અનંત પદાર્થોની અભિલાષા કરી ભોગ કર્યા છે. આ કામભોગના સંસ્કારો આત્માના પ્રદેશો પર વ્યાપી ગયા છે, તેથી આત્માને કાપભોગોની વૃત્તિ રહ્યા જ કરે છે. આ કમ શકટચક્ર જેવો છે. આત્માને મને સાથ આપે છે, મનને ઇન્દ્રિયો સાથ આપે છે, અને મોહવશ જીવ પોતાનું સ્વરૂપ ભૂલી કામભોગને વશ થઈ તેમાં સુખ માને છે. કોઈ જીવો તો કામભોગને વશ થઈ દુરાચારો, અને ભયંકર દુષ્કૃત્યો કરી ઘોર કર્મ ઉપાર્જન કરે છે, તેને કારણે મહા દુઃખ પામે છે. પ્રારંભમાં સુખરૂપ લાગતા, અંતમાં અત્યંત દુ:ખદાયી, આ વિષય-કામભોગોથી વિરક્ત થવાનો ઉપાય ત્યાગ અને વૈરાગ્ય છે. આ બે પારમાર્થિક સાધન વગર જીવ કામભોગોના ભરડાથી મુક્ત થાય તે અસંભવિત છે. અર્થાત્ સંવરધર્મી-સંયમમાર્ગી આત્મા કામભોગોથી વિરક્ત હોય છે. આત્મજ્ઞાન વગરના ત્યાગ અને વૈરાગ્ય પ્રારંભમાં જીવને કામભોગ જિતાઈ ગયા છે તેવો ભ્રમ પેદા કરે છે, પણ મોહરાજાના કોઈ બળવાન સુભટનો ભેટો થતા વૈરાગ્ય મોળો પડી જાય છે. માટે જ્ઞાન સહિતના વૈરાગ્યવાન જીવ કામભોગને પરાજય આપવા સમર્થ હોય છે. મોહરાજાના અનેકવિધ સુભટોમાંથી, કષાયજનિત દોધ, માન, માયા કે લોભના અંશનો અથવા કોઈ એકનો વિકાર પેદા થતાં, મુનિઓ પણ ચલાયમાન થાય છે. દોધવશ નિયાણું કરે, માનવશ અટકી જાય અને કરેલા ત૫-જપ સર્વને હોડમાં મૂકી સંસારની વાસનાને આધીન થઈ અધોગતિને પામે છે. વળી પાંચ ઇન્દ્રિયોને વશ થઈ, અથવા કોઈ સ્પર્શ કે રસને વશ ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy