SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર તે કાળે પરમપદને પ્રાપ્ત થયા હતા; વર્તમાનમાં યથાશક્તિ માર્ગને પામે છે; અને ભવિષ્યમાં પણ પામશે. વિશ્વની ધરા પર જયારે પવિત્ર આત્મા પ્રગટ થાય છે ત્યારે તેમના દ્વારા સદ્ધર્મ અધ્યાત્મ, સંસ્કૃતિ, સભ્યતા, જેવા જીવનવિકાસનાં ઉત્તમ તત્ત્વો પ્રગટ થાય છે; તે પવિત્રાત્માઓની વાણી, વર્તન, વ્યવહાર અને વિહાર દ્વારા તેમની પ્રતિભા અભિવ્યક્ત થાય છે. તેમની વાણી શાસ્ત્ર બને છે, તેમનો વ્યવહાર પવિત્ર આચાર બને છે. તેમનો વિહાર સામાન્ય જીવોને પ્રેરક બને છે. તેમનો જ્ઞાનપ્રકાશ જીવોના અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરે છે. અધ્યાત્મની જનની - સ્વરૂપ ભારતભૂમિ પર સમયે સમયે પ્રતિભાસંપન્ન વિભૂતિઓ અવતરતી રહી છે. તેઓ સ્વંય સંસારનાં સુખ - વિલાસોનો ત્યાગ કરી, જંગલની પ્રતિકૂળતાઓ સહી એકાંતવાસમાં સુખ માની આત્મસંશોધન કરતા અને તે દ્વારા જે સિધ્ધિઓ પ્રાપ્ત થતી તેનું નિસ્પૃહભાવે જગતને પ્રદાન કરતા. તે સમયે તેમના માર્ગને અનુરૂપ તેમના જીવન સાથે એકમેક થઈને જીવનનું સમર્પણ કરનારી તેજસ્વી વ્યક્તિઓ પણ પ્રકાશમાં આવતી. જૈનદર્શન અન્વયે ચોથા આરાના અંતમાં એક અત્યંત પ્રજ્ઞાવાન વિભૂતિ પ્રગટ થઈ. જે ચરમ તીર્થંકર ભગવાન મહાવીર નામે પ્રસિધ્ધ છે. તેમણે તે કાળે ધર્મતીર્થની સ્થાપના કરી. જ્ઞાનગંગાને પ્રવાહિત કરી ત્યારે તે ઝીલનાર પ્રથમ મેધાવી પુરુષ ગૌતમ ઈન્દ્રભૂતિ હતા. તે પણ ભગવાન મહાવીરની જેમ. ચરમદેહી હતા. અર્થાત તદ્ભવ મોક્ષગામી હતા. પ્રસ્તુત પુસ્તક ગણધર ગૌતમસ્વામીની જીવનકથાનું છે. જો કે ગૌતમસ્વામીનાં જીવન રહસ્યો જેટલાં અદ્ભુત છે; તે પ્રમાણમાં આપણને તેમની જીવનક્થાની વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. છતાં પણ ગૌતમસ્વામીના વિનમ્રતા, જિજ્ઞાસા, તપતેજ અને ભદ્રિક્તા જેવા ગુણો ઘણા પ્રેરક છે. Jain Education International For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy