SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર પાંચ તત્ત્વો શુદ્ધ આત્મસ્વરૂપનો ક્રમિક વિકાસ છે. તે સાધુતાથી પ્રારંભ થઈ સિધ્ધતાને પામે છે. નિગ્રંથ સાધુતા દ્વારા જીવની શુધ્ધતા પ્રગટ થાય છે. સાધનાની સિદ્ધિ માટે સાધુ અને સિદ્ધિ બે પદની મુખ્યતા છે. આત્મા માત્ર વિકાસલક્ષી છે. માટીના કોડિયામાં તેલ ભરેલું હોય, દિવેટ જાડી હોય તે તેલ પીને નીચી નમેલી હોય, છતાં જ્યારે તેમાંથી જયોત પ્રગટે ત્યારે તેની શિખા ઊર્ધ્વગામી હોય છે. તેમ નિગોદના સ્થાનથી નીકળેલો આત્મા ક્રમિક વિકાસ સાધતો સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામે છે. જો કે આ યાત્રામાં જીવ અનેકવાર ચઢે છે, પડે છે; છતાં, ભવ્યાત્માઓ વિકાસક્રમને સાધતાં સિધ્ધ અવસ્થાને પામે છે. મુક્તિ મુનિત મુમુસુતા મનુષ્યત્વ અર્થાત્ મનુષ્યપણું પામીને જીવે અધ્યાત્મ-વિકાસ ના પંથે પ્રવૃત્ત થવું. મોક્ષમાર્ગને અનુરૂપ બાહ્ય કે અંતરંગ સાધનો. મનુષ્યજન્મમાં મુખ્યત્વે ઉપલબ્ધ હોય છે. તે દેશકાળાદિ ઉપર આધારિત હોવા છતાં મનુષ્યપણામાં તેની ઘણી સુલભતા છે અને જયાં સુધી પ્રભુનું શાસન પ્રવર્તે છે, ત્યાં સુધી જીવોને માર્ગની પ્રાપ્તિનાં સાધનો સંગ્રામ હોય છે. ચોથા આરાના અંતમાં ચરમ તીર્થંકર ભગવાન મહાવીરે જીવોના કલ્યાણ માટે ધર્મતીર્થની સ્થાપના કરી માર્ગ પ્રગટ કર્યો તે માર્ગને ગણધરદિઓએ ધારણ કર્યો. આચાર્યો અને સંતો દ્વારા તે પ્રવાહિત રહ્યો અર્જુનનું નિમિત્ત પામીને શ્રીકૃષ્ણના વરદ મુખે શ્રીમદ્ભગવદ્ ગીતા દ્વારા કલ્યાણનાં રહસ્યો પ્રગટ થયાં, અને ધર્મની ઉચ્ચ ભાવનાઓ જનમંડળ સુધી પહોંચી. ગૌતમ ઇન્દ્રભૂતિનું નિમિત્ત પામીને પરમાત્મા શ્રીમહાવીરના શ્રીમુખે અનેક ગૂઢ રહસ્યો પ્રગટ થયાં. અને જગતના ભવ્યજીવો તે રહસ્યો દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy