SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અત્યંત આસક્તિ, અભયાહાર અનંતકાય, માંસાહાર, મદિરાપાન, છળપ્રપંચી, સ્વજનોને પીડા આપવાવાળો, ધર્મ પ્રત્યે દ્રોહ કરનારો, જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાથી જીવ નરકાયુનો બંધ કરે છે. હોવાંધ, મદાંધ, માયાધ, લોભધ તથા હિંસક વૃત્તિ અને પ્રવૃત્તિવાળો, કસાઈ જેવા ધંધાવાળો, વૈરવૃત્તિ દ્વારા લોકો સાથે ક્લેશ કરવાવાળો, અત્યંત દૂર પરિણામી, પરસ્ત્રીગમન કરવાવાળો, ધર્મ પ્રત્યે ષી, વ્યસની, વિશ્વાસધાતી, વગેરે પાપકર્મોનું ઉપાર્જન કરી તે જીવી નારકી તરીકે ઉત્પન્ન થાય છે અને આવા મહાદુઃખો ભોગવે છે. વળી તેમને વિર્ભાગજ્ઞાન હોવાથી પૂર્વ જીવનના વૈરીને જોઈને તેને અત્યંત ત્રાસ આપે છે. અનેક પ્રકારના શસ્ત્રો વિક્ર્વને અન્યોન્ય મારે છે. પરસ્પર શરીરનો ઘાત કરી કાપી નાંખે છે. અન્યોન્ય ત્રાસથી બચવા પ્રયત્ન કરે છે પણ કોઈ તેમને ત્યાં બચાવી શકતું નથી. એક બીજાનો ત્રાસ જોઈ નારકો તેમાં આનંદ માને છે. પરમાધામી દેવા માટે તો જાણે આ નારકો કોઈ કાપકૂપી, ખાંડીને કે દળીને રમવાના માટીના રમકડા જેવા લાગે છે. જેમ જેમ તેમનો ત્રાસ વધે, તેઓ બૂમો મારે તેમાં પરમાધામીને વધુ સુખ ઉપજે છે. પૂરા આયુષ્યના કાળ સુધી એક શ્વાસોશ્વાસ જેટલો સમય પણ દુ:ખરહિત હોતો નથી. પ્રમ ૨. તે જ જીવ મરીને સ્વર્ગે કેમ જાય? ભગવાન : હે ગૌતમ ! જેમ જીવ દૂર પરિણામ આદિ કરીને નરકગતિ પામે, તેમ બાળપ, સંરગ સંયમાદિ દ્વારા શુભ પરિણામ વડે દેવગતિ પામી સ્વર્ગે જાય છે.” નોંધ : દેવલોકનું સામાન્ય વર્ણન : ૧) ભવનપતિ દેવો : મોટા ભવનમાં રહેવાવાળા. ૨) વ્યંતરદેવો:વન ઉપવનમાં રહેવાવવાળા. ૧૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy