SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર આ સર્વ શુભાશુભભાવનું પરિણામ છે. તે શુભાશુભ કર્મનો છેદ થતાં જીવ સંસારના સર્વ પ્રકારોથી, કર્મોથી, ચાર ગતિથી સર્વથા મુક્ત થાય છે. નરકની માહિતી : આમ તો જગતમાં મનુષ્ય પ્રાયે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. પૂર્વે નરગતિમાં જઈ આવ્યો છે, છતાં ત્યાંના દુઃખને તે વિસરી ગયો છે. કારણકે તેની પાસે એવું જ્ઞાન ક્યાં છે કે પોતાના ભૂત કે ભાવિકાળને જાણી શકે ? શાસ્ત્ર પ્રમાણથી જો તે વાત જીવ સ્વિકરે તો ઉપર કહેલા પાપથી બચવા તે પ્રયત્નશીલ બને. માટે અહીં નરકની કેટલીક માહિતી પ્રસ્તુત કરી છે. નરકનું સ્થાન : ચૌદરાજલોકપ્રમાણ આ સૃષ્ટિના નીચેના ભાગમાં સાત રજનું પ્રમાણ ક્ષેત્રમાં સાત નરકભૂમિ આવેલી છે. તેને અધોલોક કહેવામાં આવે છે. આ સાતે પૃથ્વીઓ એકબીજાની ઉપર છત્રાકારે આવેલી છે. એના નામ પ્રમાણે તેની વિશેષતા હોય છે. ૧રત્નપ્રભા = આ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા છે. ર.શર્કરપ્રભા = આ પૃથ્વીમાં કાંકરાની પ્રધાનતા છે. ૩.વાલુકાપ્રભા = અહીં રેતીની પ્રચુરતા હોય છે. ૪.પંકપ્રભા = પૃથ્વીમાં કાદવની વિશેષતા છે. પ.ધૂમપ્રભા = આ પૃથ્વીમાં ધૂમાડો વિશેષ હોય છે. ૬નમ:પ્રભા = આ પૃથ્વી અંધકારમય છે. ૭.તમ: તમ: પ્રભા = વિશેષ અંધકારમય છે. નરકભૂમિની રચના : રત્નપ્રભા સર્વ પ્રથમ છે. તેના પછી ઘનોદધિ, • જામેલું ગાડું પાણી જે ફેલાઈ જતું નથી. ત્યાર પછી ઘનવાત - આ વાયુ એવો સઘન છે કે ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy