SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ગૌતમ : ૧. જીવ નરકે કેમ જાય ? ર. તે જ જીવ સ્વર્ગે કેમ જાય ? ૩. તે જ જીવ તિર્યંચ કેમ થાય ? ૪. તે જ જીવ મનુષ્યપણું કેમ પામે ? સરળસ્વભાવી ગૌતમ સ્વામીએ વનયાન્વિત થઈને પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જગતવત્સલ કરુણાસાગર ભગવાન મહાવીરે કહ્યું કે: હે ગૌતમ ! તેં જે પ્રશ્નો પૂછ્યા છે તે સર્વ સુખ - દુ:ખરૂપ, શુભાશુભ પરિણામો, એક જ જીવ પોતાના કરેલા કર્મને વશ થઈને કર્માનુસારે પામે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. નરગતિનું કારણ ! જે જીવહિંસા આચરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીસેવન કરે છે, ઘણા પ્રકારના આરંભ પરિગ્રહના પાપમાં આસક્ત છે. આ પાંચે પ્રકારની વિરાધના કરે છે. તે નરકામી થાય છે. વળી જે અત્યંત ક્રોધ કરે છે, અતિશય માની છે. માયાવી છે, પ્રપંચી અને લોભી છે, રોદ્ર પરિણામ વાળો છે સાધુજનોની નિંદાવૃત્તિવાળો છે અધર્મી છે, દુષ્ટ બુધ્ધિવાળો છે, કૃતઘ્ન છે તે પોતાના દુષ્ટ કૃત્યો અને પરિણામોને કારણે અત્યંત દુ:ખકારી એવી નરગતિને પામે છે. નોંધ : વાચકે અહીં એક તથ્ય સમજવાનું છે કે આ ચાર પ્રશ્નો પ્રત્યેક જીવને આશ્રયીને પૂછવામાં આવ્યા છે. આ નામનો એક જીવ પ્રથમ શરીરનું આયુષ્ય પુરું થતા પોતાના જ ક્રૂર પરિણામના કારણે નરકે જાય. વળી ત્યાંથી આયુષ્ય પૂરું થતાં તે જ જીવ તિર્યંચ થાય. તે જીવ ઘણા દુ:ખ સહીને મનુષ્યપણું પામે, અને તે જીવ શુભપ્રવૃત્તિ દ્વારા અને શુભભાવને કારણે દેવલોક પામે. ૧૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy