SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર જ મુનિ ત્યાં પહોંચતા. પરંતુ રાવણ જેવા મહાવિદ્યાધરો, અનેક દેવો, અસુરોથી ગિરિરાજ પર પ્રભુનો દરબાર ભરેલો રહેતો. એ સર્વને ગૌતમસ્વામીનો યોગ પ્રાપ્ત થયો. તેઓ તેમનો ઉપદેશ સાંભળવાથી પ્રસન્ન થયા. ગૌતમસ્વામી પ્રભુધ્યાનમાં એક્તાન થઈ અપ્રમત્તપણે રાત્રી પૂર્ણ થયે પ્રાત:કાલે નીચે ઊતર્યા. - તળેટીમાં અને ગિરિરાજના નીચેના ભાગમાં પેલા તાપસો તો ઉત્સુકતાથી રાહ જોતાં જ બેઠા હતા, જ્યારે આ મહાયોગી આવે અને અમે તેમના શિષ્યો થઈએ. તેમની ભાવનાને અનુસરી ગૌતમ તેમની નજીક પહોંચ્યા. ત્યાં તો મુખ્ય ત્રણ તાપસો તેમના શિષ્યવૃંદ સાથે ગૌતમસ્વામીને વીંટળાઈ ગયા. તેમને વિનીતભાવે કહેવા લાગ્યા કે, હે મહાત્મા ! હે મહાતપસ્વી ! આપના દર્શનથી અમે પવિત્ર થયા છીએ, આપ અમારા ગુરુ છો. આપ અમને આપના શિષ્યો તરીકે સ્વીકારી લો. ગૌતમસ્વામીએ તરત જ પ્રભુનું સ્મરણ કર્યું કે અહો ! પ્રભુના શાસનનો કેવો મહિમા છે એકી સાથે આવા મહાત્માઓ શાસનનો સ્વીકાર કરે છે. ધન્ય છે પ્રભુના શાસનને ! પ્રભુ પ્રત્યેના અહોભાવથી જેનું તન, મન, ધન સર્વ રંગાયેલું છે તેવા ગૌતમ પોતે ગુરુપદે રહેવા કરતાં શિષ્યપદમાં સુખી હતા. આથી તેમણે કહ્યું કે, “હે તાપસો ! તમારી ભાવના ઉત્તમ છે, તમે સૌ પરમાત્મા ભગવાન મહાવીરને ગુરૂપદે સ્થાપો, તેમાં તમારું કલ્યાણ છે. તે આપણા સૌના ગુરુ છે." આ તેમનો પરમ વિનય હતો. તાપસો સવિસ્મય ગૌતમને જોઈજ રહયા ! આવા લબ્ધિવંત મહાત્માને પણ ગુરુ હશે? આથી તેઓએ ગૌતમને પૂછયું કે, “હે ગુરુદેવ! શું આપને માથે વળી ગુરુ છે? તમે આવા લબ્ધિધારી છો તો તમારા ગુરુ તો કેવા હશે?” ગૌતમ કહે “મારા ગુરુ તો સર્વજ્ઞાની અને સર્વદર્શી છે. અત્યંત ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy