SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર બે મહાન સંતોનો સંવાદ ત્રીજા આરાના અંતમાં થયેલા ભગવાન શ્રી ઋષભદેવની નિગ્રંથ પરંપરામાં ત્રેવીસમા ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના શાસન વચ્ચે ફક્ત અઢીસો વર્ષનું અંતર હતું. આથી ભગવાન મહાવીરના કુળના ક્ષત્રિયો, રાજા અને બ્રાહ્મણો ભગવાન પાર્શ્વનાથના અનુયાયી હતા. તે સૌ ભગવાન પાર્શ્વનાથના પ્રરૂપેલા ધર્મના નિયમો પાળતા હતા, અને તત્ત્વોને સ્વીકારતા હતા. ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ધર્મોપદેશનો પ્રારંભ કર્યો. ત્યારે તેમાં ધર્મ પ્રભાવનાની સરળતા માટે કેટલાક ફેરફાર કર્યા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ભિલુકો રંગીન વસ્ત્રો ધારણ કરતાં. ભગવાન મહાવીરે સહજપણે વસ્ત્રનો ત્યાગ કર્યો હતો, અને ભિલુકો જીર્ણશીર્ણ વસ્ત્રનો ઉપયોગ કરતા હતા. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાર મહાવ્રત હતા. ચોથા અપરિગ્રહ કે પરિગ્રહપરિમાણ વ્રતમાં જર, જમીન અને જોરનો સમાવેશ થતો તેથી ચાર મહાવ્રત આ પ્રમાણે હતા. ૧. અહિંસા ૨. સત્ય ૩. અચૌર્ય અને ૪. અપરિગ્રહ. બ્રહ્મચર્યનો સમાવેશ અપરિગ્રહમાં થતો. જર-ધન, જમીન-ઘર, ક્ષેત્ર આદિ, જોરૂ-સ્ત્રી, આમ સ્ત્રી પણ જડ પદાર્થો સાથે પરિગ્રહનું સાધન ગણવામાં આવતી. આથી મૈથુન વિરૂદ્ધ બ્રહ્મચર્યનું વ્રત અલગ માનવામાં આવતું ન હતું. અપરિગ્રહ વ્રતમાં તેનો સમાવેશ થતો. એક અપેક્ષાએ ભગવાન મહાવીરે એ સમયમાં સ્ત્રી અને શુદ્ર જાતિનો મહાન ઉદ્ધાર કર્યો એમ કહીએ તો તે અસ્થાને નથી. શુદ્રજાતિના દીક્ષીત થયેલા મુનિનો સ્વીકાર કરી તેમને સંઘમાં સમાવી લેવામાં આવતા અને ગ્રહસ્થો પણ ધર્મનો સ્વીકાર કરી શકતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy