SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર તેઓએ વાત સહજભાવે કહી હતી. આથી તેમણે ગૌતમસ્વામી પ્રત્યે અત્યંત આદરથી વિનયભાવે પૂછ્યું કે : ભગવાન ! શું તીર્થકરના શાસનમાં સત્ય ઘટના કહેવાનું પણ પ્રાયશ્ચિત હોય છે? મેં મને થયેલા અવધિજ્ઞાનની સત્યઘટના કહી છે. આપે તેનો સ્વીકાર કરવો જોઈએ અને તેમાં કથંચિત આપે પ્રાયશ્ચિત કરવું પડશે.' ગૌતમસ્વામી અત્યંત સરળ સ્વભાવી હતા. આનંદ શ્રાવની ઉપાસના તેઓ જાણતા હતા. તેઓ જેવા સત્યનિષ્ઠ હતા તેવા જ અનાગ્રહી હતા. પ્રભુના શાસનથી પ્રભાવિત હતા. આનંદની વિવેકયુક્ત વાણીનું શ્રવણ કરી તેઓ ઘડીભર તો ખેદખિન્ન થઈ ગયા કે મારાથી તપસ્વીની આશાતના થઈ હશે? પોતે મન:પર્યવજ્ઞાની હતા. પણ કેવા વિનમ્ર હતા કે તેમણે તરત જ નિર્ણય કર્યો કે ભગવાનને પૂછીને આનું સમાધાન મેળવું જો મારો દોષ હશે તો હું ક્ષમા માંગીને નિશ્ચિત થાઉં.. આનંદ શ્રાવકને ધર્મલાભ કહી તેમને મળ્યાને આનંદ સહિત અને કંઈક સચિત મને તેઓ ભગવાન પાસે પહોંચ્યા. અને સઘળી ઘટના પ્રગટ કરી અને પૂછયું કે પ્રભુ ! ક્ષમાપાત્ર કોણ છે? ભગવાન મહાવીર નો વીતરાગી હતા. તેઓ જીવ માત્ર પ્રત્યે સમાન ભાવવાળા હતા. તેમને તો આનંદ અને ગૌતમમાં સમાનવૃત્તિ હતી. ગૌતમ શિષ્ય છે, માટે નિકટના છે અને આનંદ પરાયા છે તેવી કલ્પના સુધી ત્યાં ફરકી શકે તેમ ન હતી. મારા-તારાના ભાવો તો તેમણે ખપાવી દીધા હતા તેથી ભગવાનનો પક્ષ સત્યનો હતો. ભગવાને કહ્યું હે ગૌતમ ! આનંદ શ્રાવકના અવધિજ્ઞાનનું કથન સત્ય છે. આનંદ શ્રાવકને પરિણામની નિર્મળતાને કારણે તેમના અવધિજ્ઞાનની પણ વ્યાપક્તા છે, આથી તમને જે શંકા થઈ તેમાં જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy