SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર આનંદ શ્રાવકે ભેદજ્ઞાનને પ્રાપ્તકરી જગતની માયાને મૂકી દીધી. અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિ થતાં તેમનો સંસાર પ્રત્યેનો તુચ્છભાવ ગળી ગયો, અને એક દિવસ આનંદે પુત્રાદિને સર્વ કારભાર સોંપી નિવૃત્તિ લીધી. પ્રભુની આજ્ઞા મેળવી તેઓ કોલ્લાક સન્નિ વેશની પૌષધશાળામાં શેષ જીવન કેવળ ધર્મ-આરાધના માટે વીતાવવા લાગ્યા. આનંદ પોતાની કેટલીક નબળાઈઓ જાણતા હતા. તેથી સાધુધર્મનો સ્વીકાર કરી ન શક્વાનો તેમને રંજ હતો, પણ શ્રાવક ધર્મ એવો સ્વીકાર્યો કે તેઓ સાધુતાની નજીક હતા. અર્થાત્ તેમને અનશન જેવાં ઉગ્ર તપને અંગીકાર કર્યુ. અનશનમાં પણ પોતાની ચિત્તવૃત્તિઓમાં દૃઢ રહેતા. પરિણામની શુધ્ધિની ફલશ્રુતિએ તેમણે અતીન્દ્રિય એવું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પ્રગટ થયું. અનશનના દિવસો પ્રસન્ન ચિત્તે વ્યતીત થઈ રહ્યાં હતા. આનંદ અંતરંગ આરાધનામાં અડગ હતા. અનશન તો મરણ પછી પૂર્ણ થાય તેવું કઠિન તપ હતું. પરંતુ આનંદ તો તેમાં જ પોતાનું શ્રેય જાણતા હતા. દિન-પ્રતિદિન આનંદના અનશનની વાત પ્રસરતી ગઈ. નગરજનોમાં આનંદ લોકપ્રિય હતા અને તેમાંય આમરણાંત - તપ આદર્યું હતું; તેથી લોકપ્રવાહ તપના અનુમોદન માટે ચાલુ હતો. એક દિવસ ગૌતમસ્વામી ભિક્ષાર્થે નગરના રાજમાર્ગ પરથી પસાર થતા હતા. ત્યારે તેમણે લોકમુખે શ્રામણોપાસક આનંદની સંલેખનાના સમાચાર સાંભળ્યા. ગૌતમ ગુણપ્રમોદ અને ગુણ પ્રશંસક હતા. પોતે અનેક શિષ્યોના ગુરુપદે હતા. પરંતુ જેવા ભક્તિવત્સલ હતા તેવા સંવેદનશીલ હતા. આનંદ જેવા ઉત્તમ શ્રાવકના અનશન તપની વાત સાંભળી તેમને આનંદ પ્રત્યે અહોભાવ થયો અને તેઓ તરત જ આનંદની પૌષધશાળામાં પહોંચ્યા. ગણધરપદે હોવા છતાં સરળ સ્વભાવી ગૌતમ આનંદની પાસે યોગ્ય સ્થાને ઊભા રહી તેમની શાતા પૂછવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only ૮૯ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy