SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ "લબિ તણા ભંડાર જૈન દર્શનમાં જ્ઞાનનો વિકાસકમ મતિજ્ઞાન = ઈન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન - ઉપયોગ. શ્રુતજ્ઞાન = મતિજ્ઞાન સહિત વચન, શ્રવણ અને સાહિત્યથી થતું જ્ઞાન-ઉપયોગ. અવધિજ્ઞાન = લોકમાં રહેલા સર્વ રૂપી પદાર્થોનું, જેમાં મનના સ્પષ્ટ વિચારો સહિતનું, અતીન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન. તેમાં અલ્પાયિક્તા હોય છે. મન:પર્યવજ્ઞાન = અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિય (મનવાળા) જીવોના ચિંતિત પદાર્થોનું - મનનાભાવોનું પ્રત્યક્ષ જ્ઞાન. કેવળજ્ઞાન = ચાર ઘાતકર્મના નાશ થવાથી કેવળજ્ઞાન પ્રગટે છે. સમસ્ત વિશ્વનાં સમસ્ત દ્રવ્યો, તેના ગુણો ની અવસ્થા-પર્યાયોનું સંપૂર્ણ પ્રત્યક્ષ યુગપત્ જ્ઞાન, શુદ્ધ અને સ્વ-પરપ્રકાશકશાન. મતિ અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય દ્વારા થતાં હોવાથી પરોક્ષ છે. અવધિજ્ઞાન તથા મનાપર્યવજ્ઞાન, ઇન્દ્રિયોની સહાય વગર થતાં હોવાથી દેશ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન અત્યંત શુધ્ધ જ્ઞાન હોવાથી સહજ અને અત્યંત પ્રત્યક્ષ છે. પ્રથમ ત્રણ જ્ઞાન મિથ્યાત્વસહિત હોય તો તે અજ્ઞાન મનાય છે. અને સમન્વેસહિત હોય તો તે જ્ઞાનરૂપ મનાય છે. ચોથું મન:પર્યવજ્ઞાન સંપતિ અને સમકિત ધારી મુનિને હોય છે. કેવળજ્ઞાન : સંપૂર્ણ વીતરાગ અવસ્થાસહિત હોય છે. આ જ્ઞાન પ્રગટ થતાં ઉપરના ચાર જ્ઞાનની આવશ્યક્તા કે ઉપસ્થિતિ હોતી નથીકારણ કે કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાન છે. મોક્ષદાતા છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જીવના જન્મ મરણ સમાપ્ત થાય છે. | શુભાશુભ કર્મોને લઈને મહ પ્રમાદવાળો જીવ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સ્થાનમાં ભારે | ગતિમાં ભમ્યા કરે છે. અને મહાદખ પામે છે, માટે તે [ ગોતમ / સમય માનનો પ્રમાદ ન કર, ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy